SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ • જો ક્રમબદ્ધ પર્યાયમાં સર્વજ્ઞ પણ કાંઈ ફેરફાર કરવા સમર્થ નથી તો પછી સામાન્ય માનવી શું કામ ‘હુંરું, હું કરું’ એવીતૃત્ત્વ બુદ્ધિમાંરાચી રહ્યો છે? બહુ સમજવાની જરૂર છે. . ‘“હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાનતાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે.’’ આ વિશ્વની આખી વ્યવસ્થા જ સ્વયંસંચાલીત છે. કોઈએ કાંઈ કરવાનું જ નથી. ક્રમબદ્ધ પર્યાયને સમજવામાં એકાંત નિયતવાદ તથા પુરૂષાર્થ હિનતાનો ભય સર્વાધિક ખાધક તત્ત્વ છે . એકાંત નિયતવાદ થી ભયાક્રાંત લોકો કહે છે - ‘‘જો બધુંજ નિશ્ચિત માની લેવામાં આવે તો લોકમાં કાંઈ વ્યવસ્થતા જ નહિ રહે.’’ પુરુષાર્થ નથી કરવો અથવા પુરુષાર્થ શબ્દની પરિભાષા જેમને ખબર નથી– સત્ય પુરુષાર્થ કોને કહેવાય - તે લોકોને આમાં પુરૂષાર્થ હિનતાનો ભય રહે છે. પણ જે કાંઈ નથી કરતો એ પણ પુરુષાર્થ નહિ તો બીજું શું છે? શાસ્ત્રોમાં અર્થ-કામ-ધર્મ અને મોક્ષને પુરુષાર્થ કહ્યા છે. સામાન્ય માનવી અર્થ અને કામના પુરુષાર્થથી પરિચિત છે. પણ ધર્મ અને મોક્ષના સત્ય પુરુષાર્થની તેને ખબર નથી. ખરેખર જોઈએ તો વીર્યગુણના કારણે પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાના સમયે પુરુષાર્થપૂર્વક જ થાય છે. પુરુષાર્થ રહિત કાંઈ જ નથી. અજ્ઞાની જીવ પંચેન્દ્રિય વિષયોમાં સુખબુદ્ધિને કારણે અર્થ અને કામ પુરુષાર્થમાં મગ્ન, તન્મય, એકાગ્ર રહે છે, વ્યસ્ત રહે છે અને તેને પુરુષાર્થ માને છે. જ્ઞાની જીવ ધર્મ અને મોક્ષ પુરુષાર્થમાં સ્વભાવ સન્મુખ રહે છે અને આ જ સત્ય પુરુષાર્થ છે. આ રીતે થોડાક લોકોને વ્યવસ્થિત પરિણમન સ્વીકારવામાં અવ્યવસ્થતા દેખાય છે, પરંતુ જો સમગ્ર પરિણમન વ્યવસ્તા પર ગંભીરતાથી વિચાર કરવામાં આવે તો કાંઈ પણ અવ્યવસ્થિત નથી પરંતુ સમગ્ર વ્યવસ્થતા અતિ સુંદરતમ્ છે એ ખ્યાલમાં આવશે. જગતમાં જે કાંઈપણ વ્યવસ્થિત દેખાય છે તે તો વ્યવસ્થિત જ છે પરંતુ જે કાંઈપણ અવ્યવસ્થિત દેખાય છે તે પણ પૂર્ણ વ્યવસ્થિત સુનિશ્ચિત ક્રમાનુસાર જ થાય છે. ભલે એ આપણને અવ્યવસ્થિત લાગે- પરંતુ જગતમાં કાંઈપણ અવ્યવસ્થિત નથી. જે અવ્યવસ્થતા આપણને જગતમાં દેખાય છે તે ખરેખર એમ છે જ નહિ – કારણકે એ વ્યવસ્થિત જ છે – ખરેખર અવ્યવસ્થતા આપણી દૃષ્ટિમાં છે. જેની મતિ અવ્યવસ્થિત છે તેને - ગુવ્યવસ્થિત દેખાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy