SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. કર્મ ૩. કરણ ૪. સંપ્રદાન ૧૭૫ : પોતે અનંત શક્તિવાળાકેવળજ્ઞાનને પ્રાપ્તકરતો હોવાથી કેવળજ્ઞાન કર્મ છે અથવા કેવળજ્ઞાનથી પોતે અભિન્ન હોવાથી આત્મા પોતે જ કર્મ છે. : : પોતાના અનંત શક્તિવાળા પરિણમનસ્વભાવરૂપ ઉત્કૃષ્ટ સાધન વડે કેવળજ્ઞાન કરતો હોવાથી આત્મા પોતે જ કરણ છે. પોતાને જ કેવળજ્ઞાન દેતો હોવાથી આત્મા પોતે જ સંપ્રદાન છે. ૫. અપાદાન : પેાતાનામાંથી મતિ-શ્રુતાઢિ અપૂર્ણ જ્ઞાન દૂર કરીને કેવળજ્ઞાનકરતો હોવાથી અને પાતેજ સહજ જ્ઞાનસ્વભાવ વડે ધ્રુવ રહેતો હાવાથી પોતે જ અપાદાન છે. ૬. અધિકરણ : પોતાનામાં જ અર્થાત્ પોતાના જ આધારે કેવળજ્ઞાન કરતો હોવાથી પોતેજ અધિકરણ છે. આ રીતે સ્વયં(પોતેજ) છ કારકરૂપ થતો હોવાથી તે ‘સ્વયંભૂ’ કહેવાય છે. અથવા અનાદિકાળથી અતિ દ્દઢ બંધાયેલા (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયરૂપ) દ્રવ્ય તેમજ ભાવ ઘાતિકર્મોનેનષ્ટ કરીને સ્વયંમેવ આર્વિભૂત થયો અર્થાત્ કોઈની સહાય વિના પોતાની જ મેળે પોતે પ્રગટ થયો તે ‘સ્વયંભૂ’ કહેવાય છે. Jain Education International સર્વ દ્રવ્યના પ્રત્યેક પર્યાયમાં આ છ કારકો એક સાથે વર્તે છે, તેથી આત્મા અને પુદ્ગલ શુદ્ધ દશામાં કે અશુદ્ધ દશામાં સ્વયં છ યે કારકરૂપ પરિણમન કરે છે અને બીજાકારકોની(અર્થાત્ નિમિત્તકારણોની) અપેક્ષા રાખતા નથી. આ છ યે કારક – તે દ્રવ્યમાં રહેલા સામાન્ય અને અનુજીવી ગુણો છે. દરેક સમયે તેઓના છ પર્યાયો નવા નવા થયા કરે છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy