SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ સપ્તભંગી સપ્તભંગી બે પ્રકારની હોય છે. ૧. પ્રમાણ સપ્તભંગી, ૨. નય સપ્તભંગી. નય સપ્તભંગી ના નિરૂપણ વગર નયોની ચર્ચા અધુરી જ રહેશે. કોઈપણ વસ્તુને પ્રતિપાદનના સંદર્ભમાં સર્વ પ્રથમ એક વાત સામે આવે છે કે આનું પ્રતિપાદન સંભવ પણછે કે નહિ ? જો વાણીદ્વારાકોઈ પણ વસ્તુનું પ્રતિપાદન સંભવ જ ન હોય તો પછી વ્યર્થ બૌધિક વ્યાયામથી શું લાભ છે? આપ્રશ્નઉત્પન્નથવો અસ્વાભાવિક પણનથી; કારણકે જિનવાણીમાં મૂળ પ્રતિપાધ્ય ભગવાન આત્માને સ્થળે સ્થળે વચન અગોચર, વચનાતીત, વિકલ્પાતીત કહેવામાં આવ્યો છે. એટલે વસ્તુના પ્રતિપાદનમાં મૂળ પ્રશ્ન એ છે કે આ વ્યક્તવ્ય છે કે અવ્યકત્તવ્ય? સ્યાદ્વાદી જિનાગમ એનો એ જવાબ આપે છે કે વસ્તુ થંચિત વ્યક્તવ્ય છે અને કથંચિત અવ્યકત્તવ્ય પણ છે. હવે જો આપણે વસ્તુના અસ્તિત્ત્વના સંદર્ભમાં વિચાર કરીએ તો સર્વ પ્રથમ તો એ પ્રશ્ન ઉપસ્થિત થશે કે વસ્તુના અસ્તિત્ત્વના સંબંધમાં કાંઈ કહી શકાય છે કે નહિ ? અગર કહી શકાય છે તો શું કહી શકાય છે? અને જો નથી કહી શકાતું તો શું નથી કહી શકાતું ? આ હવે બધું સ્પષ્ટ કરવું અત્યંત આવશ્યક છે. કહી શકાય એ સંદર્ભમાં ત્રણ સ્થિતિઓ બને છે. ૧) અસ્તિત્ત્વ કહી શકાય છે ૨) નાસ્તિત્ત્વ કહી શકાય છે ૩)ક્રમથી અસ્તિત્ત્વનાસ્તિત્ત્વ બંન્ને કહી શકાય છે. નહિ કહીશકાય એ સંદર્ભમાં ચાર સ્થિતિઓ બને છે. ૧) કંઈ પણ કહી શકાય એમ નથી ૨) અસ્તિત્ત્વ કહી શકાય એમ નથી ૩) નાસ્તિત્ત્વ કહી શકાય એમ નથી ૪) અસ્તિત્ત્વ-નાસ્તિત્ત્વ બંન્ને એક સાથે કહી શકાય એમ નથી. આપ્રમાણેત્રણભંગ વ્યકત્તવ્યસબંધી અને ચાર ભંગ અવ્યકત્તવ્ય સબંધી એમ સાત ભંગ થયા જેને આપણે કથંચિત શબ્દ લગાવી એમ કહીએ: ૧. સ્થંચિત્ ઘટ છે. ૨. યંચિત્ ઘટ નથી. ૩. કથંચિત્ ઘટ છે અને કથંચિત્ ઘટ નથી પણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy