SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ પુણ્યકર્મનો બંધ થાય છે. તેનાથી સ્વર્ગાદિ ભોગની પ્રાપ્તિ થાય છે. પણ તેનાથી કર્મના ક્ષયરૂપ સંવર -નિર્જરા-મોક્ષ થતો નથી. મોહ ક્ષોભ રહિત આત્માના પરિણામતે જ ધર્મ છે. આધર્મ જ સંસારથીપાર ઉતારનારમોક્ષનું કારણ છે એમ ભગવાને કહ્યું છે. આનું વસ્તુસ્વરૂપ બરાબર સમજવું જોઈએ અને એ નયોના અભ્યાસથી જ સમજણ પડે. લોકિક જન તથા અન્યમતિ કોઈ કહે કે પૂજાદિક, શુભકિયા તથા વ્રતક્રિયા સહિત જે હોય તે જન ધર્મ છે પણ ખરેખર એમ નથી. ઉપવાસ, વ્રતાદિ જે શુભક્રિયા છે જેમાં આત્માનારાગરહિત શુભ પરિણામ છે, તેનાથી પુણ્યકર્મનીપજે છે અને તેનું ફળસ્વર્ગાદિકભોગોની પ્રાપ્તિ છે-જે વિકાર રહિત શુદ્ધ દર્શન જ્ઞાનરૂપ નિશ્ચય હોય તે આત્માનો ધર્મ છે. આ જ ધર્મ થી સંવર-નિર્જરા થઈમોક્ષ થાય છે. જે કોઈ શુભરાગથી પોતાનું હિત થવું માને તે મિથ્યામતાવલંબી છે એમ માનવું. નિશ્ચયનય-ભેદ-પ્રભેદ : નિશ્ચયનયના બે પ્રકાર છે. શુદ્ધ નિશ્ચયનય - અશુદ્ધ નિશ્ચયનય શુદ્ધ નિશ્ચયનયના ત્રણ પ્રકાર છે. * પરમશુદ્ધ * સાક્ષાત* એકદેશ. * પરમશુદ્ધ નિશ્ચયનયમાં ત્રિકાળી શુદ્ધ પરમપારિણામિક સામાન્ય ભાવનો ગ્રહણહોય છે. એનાઉuહરણરરૂપકેટલાક શાસ્ત્રીયWઆ પ્રમાણે છે. * શુદ્ધ નિશ્ચયનય થી સહજજ્ઞાનાદિ પરમસ્વાભાવભૂત ગુણોનો આધાર હોવાથી કારણ શુદ્ધ જીવ છે. * શુદ્ધ નિશ્ચયનયથી જીવ, સત્તા, ચેતન્ય અને જ્ઞાનાદિ શુદ્ધપ્રાણોથી જીવે * નિરઉપાધિક ગુણ-ગુણીના અભેદરૂ૫ વિષય કરવાવાળો સાક્ષાત્ શુદ્ધ નિશ્ચયનય છે. જેવી રીતે જીવને કેવળજ્ઞાનાદિરૂપ કહેવું. આનય આત્માને ક્ષાયિકભાવોથી અભેદ બતાવે છે તથાતેમના જ કર્તા ભોકતાપણ કહે છે. * શુદ્ધ નિશ્ચયનયથી કેવળજ્ઞાનાદિ શુદ્ધભાવ જીવનો સ્વભાવ કહેવાય છે. શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ, અખંડ, કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બંન્ને જીવના લક્ષણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy