SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૭ તત્ત્વસ્વરૂપમાં જ (અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ હોય) અતઃસ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તા-સત્ત્વભિન્ન ભિન્ન છે. એવા પદાર્થોમાં) ન જ હોય. જયાં વ્યાપ્ય વ્યાપકભાવ હોય ત્યાં જ કર્તા-કર્મ ભાવ હોય; વ્યાપ્ય વ્યાપક ભાવ વિના કર્તા-કર્મ ભાવ ન હોય. આવું જ જાણે તે પુગલને અને આત્માને કર્તા કર્મ ભાવ નથી એમ જાણે છે. આમ જાણતા તે જ્ઞાની થાય છે, કર્તા-કર્મ ભાવરહિત થાય છે અને જ્ઞાતા દષ્ટા-જગતને સાક્ષીભૂત થાય છે. વ્યાપ્ય-વ્યાપકકેકર્તા-કર્મ ભાવ એકજ પદાર્થમાં લાગુ પડે છે; ભિન્ન ભિન્ન પદાર્થોમાં તે લાગુ પડી શકતો નથી. ખરેખર કોઈ બીજાનું ભલું બુર કરી શકે, કર્મ જીવને સંસારમાં રખડાવે, વગેરે માનવું તે અજ્ઞાનતા છે. નિમિત્ત વિના કાર્ય થાય નહિ, નિમિત્ત પામીને કાર્ય થાય એથનો વ્યવહારનયના છે. તેને નિશ્ચયનયનું કથન માનવું તે પણ અજ્ઞાનતા છે. જીવકર્મના ગુણોને કરતો નથી, તેમ જ કર્મ જીવના ગુણોને કરતું નથી; પરંતુ પરસ્પર નિમિત્તથી બંન્નેના પરિણામ જાણે. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કર્તા છે. પરંતુ પુદ્ગલ કર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો નથી. કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું ર્તા છે જ નહિ, પણ સર્વે દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે. માત્ર આ જીવ વ્યર્થ કષાયભાવ કરી વ્યાકુળ થાય છે. વળી કદાચિત્ પોતે ઈચ્છે તેમ જ પદાર્થ પરિણમે તો પણ તે પોતાનો પરિણમ્યો, તો પરિણમ્યો નથી, પણ જેમચાલતાગાડાને ધકેલી બાળક એમ માને કે આ ગાડાને હુંચલાવું છું એ પ્રમાણે તે અસત્ય માને છે. જીવના ભાવકર્મ અને દ્રવ્યકર્મ વચ્ચે ફક્ત નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, ર્તા-કર્મ ભાવ નથી કારણકે બન્ને વચ્ચે અત્યંતાભાવ છે. T કર્તા-કર્મપણું (સાર) જયાં સુધી સ્વરૂપનું ભેદ-શાન ન હોય ત્યાં સુધી તો તેને રાગાદિકનોપોતાના ચેતનરૂપ ભાવકર્મો નો-કર્તા માનો અને ભેદ-વિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનઘન, સમસ્તકર્તાપણાના ભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો, આમ એક જ આત્મામાં કર્તાપણું અને અર્તાપણું –એ બંન્ને ભાવો વિવક્ષાવશસિદ્ધ થાય છે. આવો સ્યાદ્વાદમત જેનોનો છે... આવું (સ્યાદ્વાદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy