SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આમાં તું તારા ત્રિકાળી, શુદ્ધ ચૈતન્ય દ્રવ્યને જાણ (જ્ઞાન વિચારો અને સતત તેને જાણતો રહે એ ધ્યાન છે. & ઉપસંહાર: દુષમકાળનું પ્રબળ રાજ્ય પ્રવર્તે છે. તો પણ અડગ નિશ્ચયથી પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્તવીર્યથી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે, તેને પરમ શાંતિનો માર્ગ - હજી પણ પ્રાપ્ત થવો યોગ્ય છે. આ પંચમકાળને દુષમ કાળ કહ્યો છે. પંચમકાળ આ ક્ષેત્રમાં મોક્ષને માટે ભલે અકાળ હો પણ સમ્યગ્દર્શનાદિ ધર્મને માટે તે અકાળ નથી, પંચમકાળ પણ ધર્મ કાળ જ છે. જે જીવ પુરુષની આજ્ઞાને અગુપ્તવીર્યથી ઉપાસે છે તે સમ્યગ્દર્શનાદિ હજુ પણ પ્રાપ્ત કરી શકે છે. સાતમા ગુણસ્થાનક સુધીની દશા હજુ પચમકાળના અંત સુધી આ ભરત ક્ષેત્રમાં વિદ્યમાન રહેશે. અને પંચમકાળના એકવીસ હજાર વર્ષમાંથી હજી ૨૫૨૬ વર્ષ ગયા તેથી જ્ઞાનીઓ કહે છે કે સત્પરુષની આજ્ઞાને અનુસરીને સમ્યગ્દર્શનાદિ ધર્મ તો જરૂર પ્રગટ કર અને દર્શન મોહિનીનો નાશ કરી પછી વિશેષ શક્તિ હોય તો ચારિત્રધર્મનું પાલન કરી ચારિત્ર મોહિનીનો ભૂમિકા અનુસાર જેટલો નાશ થઈ શકે તે કરજે. કદાચિત્ સંપૂર્ણ નાશ ન થાય તો પણ ચારિત્રની ભાવના રાખીને સમ્યક શ્રદ્ધા તો તું જરૂર કરજે. દુષમકાળનું બહાનું કાઢીને સમ્યગ્દર્શનના પુરુષાર્થમાં તું શિથિલ થઈશ નહિ. અત્યારે તો શ્રદ્ધાગુણની પર્યાય પ્રથમ બદલવાની છે. તારો અભિપ્રાય માત્ર બદલાવવાનો છે. હમણાં તારી ક્રિયાની ભૂલ સુધારવાની નથી - શ્રદ્ધાની ભૂલ પ્રથમ સુધારવાની છે. બાહ્ય સંજોગો ભલે ઉદય પ્રમાણે બહુ અનુકૂળ ન હોય તો પણ અભિપ્રાય બદલાવવામાં તો દેશના (બોધ) જ ઉપયોગી છે. તે દેશના લબ્ધિ તું પ્રાપ્ત કરજે. ક્ષયોપશમ લબ્ધિ અને વિશુદ્ધિ લબ્ધિ સુધી તો તું આવી પહોંચ્યો છે. પ્રાયોંગ્યલબ્ધિ અને કરણલબ્ધિ પછીના દરવાજા છે. એ સમ્યપ્રાપ્ત થયા પહેલાની સ્થિતિ છે. આજ્ઞાનું સ્વછંદ નિરોધપણે આરાધન એ મોક્ષમાર્ગનું પ્રથમ પગથીયું છે. આજ્ઞા એ જ ધર્મ છે, આજ્ઞા એ જ તપ છે. નિજાનંદનો નાથ ચૈતન્ય પ્રજ્ઞાયક આત્મા શક્તિપણે પૂર્ણ બિરાજમાન છે, પણ કર્યજનિત વિભાવના પડદા પાછળ એક સમયની પર્યાયમાં થતાં શુભાશુભ વિકારની પાછળ ઢંકાઈ ગયો છે, નજરે પડતો નથી. અંદરમાં સદા બિરાજમાન વિભાવ અને રાગથી ભિન્ન ચિદાનંદ પ્રભુની નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ વિના બહારમાં દુનિયાની ધૂળમાં Jain Education International For Pers? 9Private Use Only www.jainelibrary.org
SR No.005525
Book TitleJain Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy