SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ભવનું પ્રયોજન છે. 8 સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર વડે આત્માની આરાધનાથી જ સિદ્ધિ થાય છે. એ સિવાય બીજી રીતે સિદ્ધિ થતી નથી. માટે સમદર્શન - જ્ઞાન - ચારિત્ર વડે આત્માની ઉપાસના કરવી એ મોક્ષાર્થી જીવનું પ્રયોજન છે. 8િ ચૈતન્યની પ્રાપ્તિ કરવી એ જ જેનો મંગલ અભિપ્રાય છે એવો મોક્ષાર્થી જીવ મુક્તિને માટે તો પ્રથમ જ્ઞાનસ્વરૂપ આત્માની ઓળખાણ કરીને તેની શ્રદ્ધા કરે છે. - આ ચૈતન્ય સ્વરૂપ આત્મા જ હું છું તેના સેવનથી પૂર્ણ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થશે - આવી નિઃશંક શ્રદ્ધાપૂર્વક તેમાં લીનતા કરવાથી આત્મદર્શન થાય છે. શ8 ઉપયોગ સ્વરૂપ આત્મા - ચિદાનંદ તેને શોધવો ક્યાં? પ્રથમ તો સર્વ લૌકિક સંગથી વિમુખ થઈ નિજ જ્ઞાન પર્યાયને સ્વભાવ સન્મુખ કરવી. હવે ત્રણ પ્રકારની કર્મ કંદરારૂપ ગુફામાં આ ચૈતન્ય પ્રભુ છુપાઈને બેઠો છે. • શરીરાદિનોકર્મ જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય કર્મ - રાગદ્વેષરૂપ ભાવકર્મ એ ત્રણે ગુફાઓને ઓળંગીને અંદર જતાં નિજ ભગવાન આત્મા પોતામાં જ પ્રકાશશે. તું પોતાને જ પ્રભુરૂપે અનુભવીશ. દિક ઉપયોગની અંતર્મુખતાનો અભ્યાસ કરવાની આવશ્યકતા છે. આપણી પાસે અત્યારે જ્ઞાન બે પ્રકારે છે. •મતિજ્ઞાન - શ્રુતજ્ઞાન. સ્વની નિર્વિકલ્પ અનુભૂતિ માટે તત્ત્વોનો યથાર્થ નિર્ણય કર્યા બાદ વૃત્તિને અંતર્મુખ વાળવા બે કાર્ય કરવા આવશ્યક છે. •મતિજ્ઞાનને અતિન્દ્રિય બનાવવું અને શ્રુતજ્ઞાનને નિર્વિકલ્પ બનાવવું. પંચેન્દ્રિયના વિષયોમાં જોડાઈ રહેલ મતિજ્ઞાનને એમાંથી નિવૃત્ત કરી પાછું ખેંચતા એ અતિન્દ્રિય બને છે. જ્યારે પર અને સ્વ સંબંધી સર્વ વિકલ્પો વિરામ પામતાં શ્રુતજ્ઞાન નિર્વિકલ્પ બને છે. અનાદિકાળથી આત્માનો જ્ઞાનોપયોગ કોઈને કોઈ ઈન્દ્રિય કે મનના વિષયભૂત પદાર્થમાં ચોંટેલો જ રહ્યો છે. વસ્તુતઃ એ જ અસંયમ છે. આ બાહ્ય પરવિષયોમાં રમણતા કરી રહેલ ઉપયોગને સમેટીને અંદર ખેંચવાની, આત્મામાં જોડવાની જે પ્રક્રિયા તેને સંયમ કહે છે. નિજ સ્વરૂપ સીમામાં જે ઉપયોગને ધારણ કરીને રાખે તે સીમંધર, આ જ સાચો સંયમ છે. આ બધાનો સાર આત્મસિદ્ધિની આ ગાથામાં આવી જાય છે. આત્મભ્રાંતિસમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પ નહિ, ઔષધ વિચાર ધ્યાન.” Jain Education International ૨ ૬ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005525
Book TitleJain Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy