SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ 888 આ ક્રમબદ્ધ પર્યાય વ્યવસ્થાપકો ને નહિ સમજાય. બધા જ અવ્યવસ્થતા સુધારવા વ્યવસ્થાપક બની ગયા છે. ખરેખર તો પોતપોતાની વ્યવસ્થતા સુધારવાની જરૂર છે. જગતને વ્યવસ્થિત કરવાની જરૂર નથી. વ્યવસ્થતા સુધારવા જતા તો વધુ અવ્યવસ્થતા થાય છે. & જો કમબદ્ધ પર્યાય’ બરાબર સમજાઈ જાય અને તેમાંથી પર્યાયો સંબંધી નિશ્ચિતતા આવી જાય તો જે ઉપયોગ આજ સુધી બહાર પર્યાયોમાં ભટકતો હતો - ત્યાં સમય અને શક્તિ વેડફાતાં હતાં - ત્યાં પર્યાય પરથી દષ્ટિ હટી જાય અને ઉપયોગ જો સ્વભાવ સન્મુખ થાય - દ્રવ્યષ્ટિ પ્રગટ થાય તો જે જેર અનિત્ય પર હતું તે જો નિત્ય જ્ઞાયક તરફ વળે તો સમ્યગ્દર્શન થઈ જાય. કે આત્માનુભૂતિ - સ્વાનુભૂતિ - સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે નિજ સૈકાલિક ભગવાન આત્માનું (જ્ઞાયકનું) લક્ષ્ય કરવું પડશે. તેનો આશ્રય લેવો પડશે. જ્ઞાનની નિર્મળ પર્યાય જ્યારે જ્ઞાયક સ્વભાવમાં તન્મય થઈ પોતાનું સર્મપણ કરી દેશે ત્યારે આત્માનુભવ થઈ જશે. આ જ એની યથાર્થ વિધિ છે. એક વખત જો વ્યવસ્થતાની શ્રદ્ધા આવી જાય પછી પર્યાય પર ષ્ટિ નહિ જાય. નિઃશંકતાથી નિર્ભયતા આવે છે અને નિર્ભયતાથી નિઃસંગતા આવે છે. પરનો સંગ અભિપ્રાયમાંથી છૂટી જાય તો નિઃસંગ જીવ સ્વતંત્રતા અનુભવી અનંત સુખ - શાંતિ પામે. આ સંપૂર્ણ શ્રદ્ધાનો વિષય છે. તારી ભાવિની બધી જ પર્યાયોને ક્રમમાં મૂકી અને નિશ્ચિત થઈ જા - કલ્યાણ થઈ જશે. આ જીવ ને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા બે જ કાર્ય કરવાના છે. ત્રિકાળી ભગવાન આત્મા - તેના સ્વરૂપની સાચી સમજણ અને શ્રદ્ધા. કમબદ્ધ પર્યાયની સાચી સમજણ અને શ્રદ્ધા. આની અંદર સર્વજ્ઞતાની શ્રદ્ધા, પરમાત્માની શ્રદ્ધા, નિજ આત્માની નિર્મળ શ્રદ્ધા બધું જ આવી જાય છે અને એ જ સમ્યગ્દર્શન છે. ઉપાદાન અને નિમિત્ત કે કોઈ પણ કાર્ય કારણપૂર્વક જ થાય છે. કાર્યની ઉત્પાદક સામગ્રીને જ કારણ કહેવામાં આવે છે. એ કાર્યની ઉત્પાદક સામગ્રી ઉપાદાન અને નિમિત્તના રૂપમાં જ હોય છે. કાર્ય થવા માટે પદાર્થની તે સમયની યોગ્યતાને ઉપાદાન કહેવામાં આવે છે. ઉપાદાન એટલે વસ્તુની સહજ શક્તિ. & કાર્ય થતી વખતે સંયોગી પરપદાર્થોને નિમિત્ત કહેવાય છે. નિમિત્ત એટલે અનુકૂળ સંયોગી બીજી ચીજ. Jain Education International ૧૫. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005525
Book TitleJain Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy