SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વક પુરુષાર્થ આપાંચ સમવાયનું એક અંગ છે અને પુરુષાર્થની મુખ્યતા હોવાથી બીજા ચારે સમવાય કે એમાં આવી જાય છે. કમબદ્ધ પર્યાયનું આવું સાચું સ્વરૂપ જોવું અને એમાં શ્રદ્ધા કરવી એ જ સત્ય પુરુષાર્થ છે. કિ તો હવે પ્રશ્ન થાય છે કે હવે કરવું શું? કરવાની છે આપણી મતિ વ્યવસ્થિત અને આપણે કરીએ છીએ જગતને વ્યવસ્થિત. જે ખરેખર વ્યવસ્થિત થવાનું નથી. એટલે આપણી સમજમાં વ્યવસ્થતા કરવાની છે. જગતની વ્યવસ્થતાં સંબંધીત આપણી સમાજ સુધારવાની છે. આપણે ભૂલ કરીએ છીએ ક્યાં અને સુધારીએ છીએ ક્યાં? આજ દિવસ સુધી જેટલી ભૂલો થઈ છે તે વાણીમાં અને ક્રિયામાં કે જ્ઞાનમાં થઈ છે. વસ્તુમાં કોઈ દિવસ ભૂલ થતી નથી. વસ્તુઓ તો જેમ છે તેમ વ્યવસ્થિત જ છે અને એનું પરિણમન પણ સુનિશ્ચિત ક્રમાનુસાર જ છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અનાદિકાળથી જીવે વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું જાણ્યું નથી, માન્યું નથી, શ્રદ્ધા કરી નથી, અનુભવ્યું નથી એ જ એની ભૂલ છે. જીક આજ સુધી આપણે આ વ્યવસ્થીત જગતને ક્રમબદ્ધ પરિણમન સહિત જાણ્યું નથી, માનું નથી, શ્રદ્ધયું નથી, અનુભવ્યું નથી, એને અવ્યવસ્થિત જ માન્યું છે. આ થઈ પ્રથમ ભૂલ. એ સુધારવી પડે. અને હવે જો આ જગત વ્યવસ્થિત થઈ જાય તો મારી માન્યતા સાચી થઈ જાય, તો આ જગતને સુધારવાની બીજી ભૂલ તારી માન્યતા સાચી કરવા જગતને સુધારવાની જરૂર નથી. તારી માન્યતા બદલવાની છે. જગત તો જેવું છે તેવું જ છે. તારી વાણીમાં, ક્રિયામાં, જ્ઞાનમાં સુધારો કરવાની જરૂર છે. તારી મતિ સુધારવાની છે. એનો અર્થ એ થયો કે તારી અનાદિની ચાલી આવેલી માન્યતાઓ બદલવાની છે. જે દષ્ટિ મિથ્યા છે, તે દષ્ટિ બદલી સમષ્ટિ કરવાની છે. ખરેખર તો જે જેમ છે તેમ સમજવું છે. આજે જે જ્યાં જ્યાં યોગ્ય છે તેહ સમજવું તેમ” નવું કંઈ કરવાનું નથી. આજ દિવસ સુધી વૈજ્ઞાનિકોએ જે સંશોધન કર્યું તે શું છે? જે જગત વ્યવસ્થિત હતું તે જાણ્યું છે માત્ર તારો સ્વભાવ પણ એ જ છે, માત્ર જાણવું. સ્વભાવ એ જ ધર્મ છે. કરવું ને માનવું હું કરી રહ્યો છું એ મિથ્યાત્વ છે. કમબદ્ધ પર્યાય'ના સિદ્ધાંતમાં જે પાંચ સમવાય છે તેમાં સ્વભાવ, નિયતિ, નિમિત્ત અને પુરુષાર્થમાં બધાને ખાસ શંકા થતી નથી. પણ ક્યારે થશે એ કાળ લબ્ધિમાં બધાને શંકા થાય છે. બધું જલ્દી જલ્દી કરી નાખવું છે. વધારેમાં વધારે બોજો આ છે. આ એટલા માટે થાય છે કે જગત ઉતાવળમાં છે. એને બધું કરી નાંખવાની હંમેશા જલ્દી હોય છે. સમય પહેલાં કરવામાં પુરુષાર્થ માને છે. પણ જલ્દી કેમ થાય? કાળલબ્ધિ પાકે ત્યારે જ થાય. એક સમયમાં એક જ પર્યાય થાય છે. ચિત્તમાં વૈર્ય પેદા કરવું પડશે, નહિ તો કાર્ય બગડશે. ઉતાવળે આંબા ન પાકે. ઉતાવળ કરવાવાળાને આ ક્રમબદ્ધ નહિ સમજાય. ૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005525
Book TitleJain Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy