SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ अर्थ : जगत् के नाथ श्री मल्लिनाथ परमात्मा के पाद- पद्म का ध्यान करने से शुद्ध परमात्म पद का प्रादुर्भाव होता है । क्योंकि श्री अरिहन्त सेवा से साधक के छहों कारक ज्ञानादि गुणों की साधना करते हैं और आत्मा का पूर्ण शुद्ध स्वरूप प्रकट होने पर वे ही षट्कारक निराबाधरूप में परिणत प्रभु की હોતે હૈં । અર્થ : જગતના નાથ શ્રી મલ્લિનાથ પરમાત્માના પાદ-પદ્મનું ધ્યાન કરવાથી શુદ્ધ પરમાત્મ-પદનો પ્રાદુર્ભાવ થાય છે. કારણ કે શ્રી અરિહંત પ્રભુની સેવાથી સાધકના છ-એ કારક જ્ઞાનાદિ ગુણોની સાધના કરે છે અને આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટતાં, તે જ ષટ્કારક નિરાબાધપણે પરિણમે છે. સ્વો. બાલાવબોધ : હવે ઓગણીશમા શ્રી મલ્લિનાથ જગનાથ મહાશરણ પરમેશ્વરની સ્તવના કરે છે. તિહાં કારક-શક્તિ પલટવાથી સિદ્ધતા નિપજે છે. તે પલટવાનો ઉપાય શ્રી અરિહંતની સેવના છે તે રૂપ સ્તુતિ કરે છે. શ્રી મલ્લિનાથ પરમેશ્વ૨ ૫૨મ જ્ઞાની તે જગ કેતાં લોકના નાથ, મોહનો ભય એટલે અંતરંગ ભાવ-રિપુથી છોડાવવાના પરમ કારણ છે. તેહનાં ચરણ-યુગ કેતાં પદ-કમલનું જોડું, તેહને ધ્યાયીયેં-વારંવાર સંભારિયેં. એહવા પ્રભુને ધ્યાવવાથી ધ્યાતાને શું નીપજે ? તે કહે છે, શુદ્ધ જે આત્માનો પરમાત્મભાવ અનંત-ગુણ નિર્મલતારૂપ, તેહનો જે પ્રાભાવ કેતાં પ્રગટપણું-નિર્મલશુદ્ધતારૂપ પરમપદ-નિર્મલપદ, તે પામીય એટલે પોતાની આત્મતા નિર્મલપણું ભજે. તે આત્મ-સિદ્ધરૂપ કાર્ય કરવાને છ કારક છે. તિહાં સર્વ કાર્યમાં કારક-પ્રવૃત્તિની કારણતા છે, કારક-ચક્ર વિના કાર્યની નિષ્પત્તિ નથી. જેમ, (૧) કુંભકાર તે કર્તા. (૨) ઘટ તે કાર્ય. (૩) મૃત્યિંડચક્રાદિક કારણ. (૪) માટીના પિંડને નવા નવા પર્યાયની પ્રાપ્તિ તે સંપ્રદાન. (૫) પિંડ-સ્થાસાદિ પર્યાયનો વ્યય તે અપાદાન. (૬) ઘટાદિ-પર્યાયનું આધારપણું તે આધાર. એમ ઘટરૂપ કાર્યમાં ષટ્કારક છે. તેમજ આત્માને અનાદિ કાલનાં એ છ કારક બાધકરૂપે પરિણમ્યાં છે. તે દેખાડે છે : (૧) આત્મા પર-વિભાવ રાગાદિ-જ્ઞાનાવરણાદિદ્રવ્ય-કર્મનો ‘કર્તા' થયો છે. (૨) ભાવકર્મ-દ્રવ્યકર્મને જે આત્મા કરે તે ‘કાર્ય’ નામા બીજું કારક. (૩) અશુદ્ધ વિભાવ-પરિણતિરૂપ ‘ભાવાશ્રવ’ અને પ્રાણાતિપાતાદિ ‘દ્રવ્યાશ્રવ’ એ બે કારણથી કર્મ બંધાયે માટે એ ‘કારણ’ નામા ત્રીજું કારક. (૪) અશુદ્ધતાનો તથા દ્રવ્ય-કર્મનો લાભ તે ‘સંપ્રદાન' નામા ચોથું કારક. (૫) સ્વરૂપ-રોધ, ક્ષયોપશમની હાનિ તથા પરાનુયયાયિતા તે ‘અપાદાન'. (૬) અનંતી અશુદ્ધ વિભાવતા તથા જ્ઞાનાવરણાદિ કર્મને રાખવારૂપ જે શક્તિ તે ‘આધાર’ નામા છઠ્ઠું કા૨ક જાણવું. એ રીતેં એ છ કારકનું ચક્ર અનાદિનું અશુદ્ધપણે-બાધકતાપણે આત્માને પરિણમી રહ્યું છે. તે જેવા૨ે સાધક આત્મા પોતાનો સ્વ-ધર્મ નીપજાવવાપણે પરિણમાવે, તેવા એ છ-એ કા૨ક સાધકપણે પ્રવૃત્ત્તા ગુણની-આત્મધર્મની સાધના કરે. એ રીતે એ છ કારક સાધકપણે પરિણમ્યા કાર્ય નીપજે, શુદ્ધ સ્વરૂપ થાય. એ સ્વરૂપ-પરિણામિક્સારૂપ સ્વકાર્ય-કારણપણું કોને પરિણમે ? તે કહે છે, જે નિરાબાધ શ્રી સિદ્ધ ભગવંત, તેહને છ-કા૨ક તે શુદ્ધપણે પ્રવર્તે છે એટલે બાધક જીવોના બાધકપણે પરિણમે છે તથા સમકેતગુણઠાણાથી માંડીને અયોગી-ગુણઠાણાપર્યંત સાધકપણે પરિણમે છે તથા સિદ્ધ ભગવંતના શુદ્ધ સ્વરૂપરૂપેં પરિણમેં છે. કા૨ક તે આત્મા નામા જે કર્રારૂપ દ્રવ્ય, તેહની એ પરિણતિ છે. उक्तं च विशेषावश्यके कारणव्याख्यानावसरे- ।। गाथा ।। “...ઇનિર્દે ત્તા ય, ર૧ મેં હૈં | तत्तो य संपयाणापयाण तह संनिहाणे य ।।" इति गाथायां ।।१।। (વિ.મા..૨૦૬૬) અર્થ : (કારણ) છ પ્રકારે છે-કર્તા, કરણ, કર્મ અને ત્યારપછી સંપ્રદાન, અપાદાન તથા સંનિધાન(આધાર). तथा च कारणं षोढा, यथा - વ્હારમઢવા છદ્ધા, તત્વ, સતંતો ત્તિ ારાં વત્તા | ખપસાતમ, રજન્મિ ૩ પિડવંડારૂં || 9 ||’ (વિ.મા. ૨૦૧૨) અર્થ : તથા કારણ છ છે, જેમ કે અથવા કારણ છ પ્રકારે છે. તેમાં જે સ્વતંત્ર છે તે કર્તા નામનું કારણ છે અને કરણ(રૂપ કારણ)માં તો શ્રેષ્ઠ સાધક એવા પિંડ-દંડાદિ છે. જમ્મુ જિરિયાધારળ...||'' (વિ.ના..૨૦૧૩) અર્થ : (કર્તા વડે) જે કરાય, તે કર્મ (નામનું) કારણ છે. ઈત્યાદિ ગાથાથી જાણવું. ‘દોડું પસત્યં મોમ્સસ વારળ...|| इह, यन्मोक्षस्य कारणं हेतुस्तत् प्रशस्तभावकारणं उच्यते ।।” इति वचनात् ।। (વિ.મા. ૨૬૨૧) અર્થ : અહિં મોક્ષનું જે કારણ અર્થાત્ હેતુ છે, તે પ્રશસ્ત ભાવ-કારણ કહેવાય છે. માટે સાધકપણે કારક પરિણમ્યા તો ‘સિદ્ધતા’ કાર્યને કરે નિરાબાધ જે સિદ્ધ નિરાવરણ અવ્યાબાધ સુખ, તેમાં તેહનો કર્રાદિક શુદ્ધ પારિણામિક-ભાવ શુદ્ધપણું થાય. સ્વ-સ્વરૂપ કર્તૃત્વપણે પરિણમે. ।। કૃતિ પ્રથમનાવાર્થ : || 9 || Jain Education International For Pes ૩૬૨ & Private Use Only www.jainelibrary.org
SR No.005524
Book TitleShrimad Devchandji Krut Chovisi
Original Sutra AuthorN/A
AuthorPremal Kapadia
PublisherHarshadrai Heritage
Publication Year2005
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy