SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય ભારતીય સંસ્કૃતિના સર્વ દર્શનોના રહસ્યો અને અધ્યાત્મના મૌલિક સિદ્ધાંતો સમજાવતા મૂલ્યવાન આધ્યાત્મિક ગ્રંથરત્ન શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત “આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર પરાર્થ રસિક પૂજ્ય ગુરુજી મુનિ શ્રી ભાનુવિજયજી મહારાજે શ્રીમદ્ રાજચંદ્ર સતસંગમંડળ, સાંતાક્રુઝ – પાર્લા, મુંબઈના ઉપક્રમે તા. ૧૮-૧૦-૨૦૦૫ થી તા.૧૯૧-૨૦૦૯ દરમ્યાન આપેલ પ્રવચનો ઉપરથી પ્રવચનમાળાનો બીજો ભાગ પ્રકાશિત કરતાં અને અત્યંત ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રવચનમાળા ભાગ-૨' માં કુલ ૧૪૨ ગાથામાંથી ગાથા ૪૩ થી ગાથા ૯૧ ઉપરના પૂ.ગુરુજીના પ્રવચનોનો સમાવેશ કરવામાં આવેલ છે. આત્મસિદ્ધિ શાસ્ત્રનું પ્રયોજન આત્માની અનુભૂતિ કરવી – આત્માની સિદ્ધિ કરવી તે છે. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર આમાં તત્ત્વજ્ઞાનના પાયારૂપ આત્માના છ પદોને ગુરુ-શિષ્ય સંવાદરૂપે યથાર્થપણે સમજાવ્યા છે. તેથી જીવની મિથ્યાષ્ટિ ટળી જાય છે ને સમ્યગૃષ્ટિ થાય છે. પરિણામે જીવ સંસારના સર્વ દુઃખોનો નાશ કરી પૂર્ણ મોક્ષ પદને પામે છે. એક બાજુ પદ, પૈસો, પદવી અને પ્રતિષ્ઠાના પ્રલોભનભર્યા પ્રદુષિત વાતાવરણમાં આજનો ઐહિક સુખાકાંક્ષી, ઘેલો અને મતલબી માનવી માનવતાથી વિમુખ બની પોતાની વાસનાઓને પરિતુષ્ટ કરવાના મોહમાં ભૌતિક સુખો અને સમૃદ્ધિને જ જીવનનું કેન્દ્ર બનાવી જીવનને વેડફી રહ્યો છે. બીજી બાજુ માત્ર દેવાલયો, વિધિવિધાનો, કર્મકાંડ, પૂજન-અર્ચન, બાહ્યાચાર, કથા-વાર્તા શ્રવણ, બાધા-અંધણી, વરદાન વિગેરેમાં ધર્મ માનતો માનવી શાંતિ, સમતા ને આનંદ પ્રાપ્તિના બદલે ગૂંચવાડામાં અટવાતો જણાય છે. આવા સંજોગોમાં મુમુક્ષુ જીવોના આત્મકલ્યાણ અર્થે આ ગ્રંથરત્ન અત્યંત ઉપયોગી બનશે. આજની આવી વિષમ પરિસ્થિતિમાં તત્ત્વ જિજ્ઞાસુ મુમુક્ષુની આધ્યાત્મિક શંકાઓ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005522
Book TitleAtmasiddhishastra Part 02
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2012
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy