SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના છે સંવાદ. સંવાદ બે વચ્ચે થાય અને એમાંથી જે પ્રગટ થાય એને કહેવાય છે. શાસ્ત્ર. કહેનારા શુકદેવજી અને સાંભળનારા પરીક્ષિતજી, એમાંથી ભાગવત પ્રગટ થયું. કહેનારા વસિષ્ઠજી અને સાંભળનારા રામચંદ્રજી, એમાંથી યોગવસિષ્ઠ પ્રગટ થયું. કહેનારા અષ્ટાવક્રજી અને સાંભળનારા જનક વિદેહી, એમાંથી અષ્ટાવક્ર ગીતા પ્રગટ થઈ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કહેનારા અને કુમારપાળ સાંભળનારા અને પ્રગટ થયું યોગશાસ્ત્ર. ગૌતમ સ્વામીજીએ પ્રશ્નો પૂછ્યા અને ભગવાન મહાવીર બોલ્યા, એમાંથી પ્રગટ્ય ભગવતી સૂત્ર, એમાં છત્રીસ હજાર પ્રશ્નો પૂછાયા છે. જેની હાજરીમાં શાસ્ત્ર પ્રગટ થાય એવા નિમિત્તો અહીં બે બન્યા એક લઘુરાજ સ્વામી અને બીજા સૌભાગભાઈ. વિ.સં. ૧૯૫૧માં લઘુરાજ સ્વામી સુરતમાં હતા. દસ-બાર મહિનાથી તાવ પણ આવતો હતો, તબિયત બરાબર ન હતી. લલ્લુભાઈ ઝવેરીનું મૃત્યુ થયું. એ મૃત્યુ જોયા પછી લઘુરાજ સ્વામીને વધારે મૂંઝવણ થઈ. એમને થયું કે મારો પણ કાળ નજીકમાં આવી ગયો છે, ઉંમર થઈ છે, દીક્ષા ગ્રહણ કરી છે, વ્રતોનું, નિયમોનું, આચારનું પાલન કરીએ છીએ પણ હજી સમ્યગ્દર્શન (આત્મજ્ઞાન) થયું નથી. આવો એકરાર કરનારા લઘુરાજ સ્વામી સાહસિક પુરુષ હતા. તેઓ કૃપાળુ દેવને પત્ર લખીને વારંવાર વિનંતી કરે છે કે સમકિત વિના દેહ છૂટી જશે તો મારું બધું એળે જશે.” આ વેદના-વ્યથા હતી. હૈયું રડતું હતું. “પ્રભુ! કૃપા કરો. કંઈક આપો.” કૃપાળુ દેવની કૃપા વરસી ને ષટ્રપદનો પત્ર નં.૪૯૩ લખાયો. આઠસો પત્રોમાં આ શિરમોર અને પાયાનો પત્ર છે. એમાં આત્માના છ પદનું વર્ણન છે, આખી સાધનાનું અલૌકિક વર્ણન છે. એક કોપી સૌભાગભાઈને મળી. પત્ર વાંચ્યો. છાતી સરસો ચાંપ્યો. ઊભા થઈને નાચ્યા, પણ પત્ર ગદ્યમાં છે એટલે કંઠસ્થ ન થાય, સ્મરણ રહે નહિ, કટોકટીના કાળમાં યાદ ન રહે તો અમારું શું થશે? એવું તેમને થયું ને વિનંતી કરી કે અમને આ પદ્યમાં આપો, અમે કંઠસ્થ કરી શકીએ, પુનરાવૃત્તિ કરી શકીએ. પદ્યમાં આપવાની વિનંતીના પરિણામે જગતને મળ્યું આત્મસિદ્ધિ શાસ્ત્ર. તેમનામાં પરમ મુમુક્ષુતાની વેદના હતી, તલસાટ હતો. માછલી પાણી વિના તરફડે તેમ તેઓ સમક્તિ વિના તરફડતા હતા. “રોઈ રોઈ અખિયાં રાતી, નયના પ્રભુ દરસનકી પ્યાસી.” (મીરા). આવી અભિપ્સા-ઝંખના-વેદના-તરફડાટતાલાવેલી સિવાય સમ્યગ્દર્શન ન મળે. રોમ રોમમાં આગ લાગવી જોઈએ. “દવ લાગ્યો રે ડુંગરે કેમ ઓલવાય.” (મીરા) એમને વિરહ સાલતો હતો એ અવસ્થામાં એમના ભલા માટે આ પદ્યમાં આવ્યું. તે વખતે ચાર જણ અધિકારી હતા. લઘુરાજ સ્વામી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ ને માણેકભાઈ. આ ચારને આની કોપી મળી, અને એમને આજ્ઞા કરી કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy