SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના અને પુદ્ગલનો એક જ સ્વભાવ છે, “સડન-પડન-વિધ્વંસન” એવો રણકાર જેના અંદરથી આવ્યો તે સમ્યગ્દષ્ટિ. સમ્યગ્દષ્ટિજીવને ભોગમાં સુખ નથી દેખાતું, યોગમાં સુખ દેખાય છે. અજ્ઞાની જીવ ગાળો આપે ને સમ્યગ્દર્શન ન હોય તો દશ ગાળ આપવાનું મન થઈ જાય. સમ્યગ્દર્શન જો હોય તો એમ વિચારે કે એના મોઢે ગાળો આપી છે કે, ચાલો જેમ પાણી અને દૂધ પી જઈએ છીએ તેમ ગાળો પી જઈએ. આ સમ્યગ્દર્શનનું સાહસ છે. બીજાનું સાહસ નથી. માટે જ ઉપા. યશોવિજયજી મ.સા. કહ્યું, “ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુજ સમકિત દાનમેં.” પ્રભુ! અમારી દીનતા-લાચારી ચાલી ગઈ. બહારના સંયોગો ગમે તેવા હોય, વૃક્ષ નીચે ઊભા હોઈએ, શરીર ઉપર ઢાંકવા કપડું ન હોય પણ અંદરની મસ્તી-ખુમારી કંઈક ઓર છે. પ્રભુ ! તમે અમારા ઉપર કૃપા કરી, સમકિતનું દાન આપ્યું. સમકિત મેળવે છે પોતે, પણ ભક્ત એમ કહે છે કે પ્રભુ! તમે આપ્યું. તે એમ નથી કહેતો કે મેં મારા જોરે, મારા પ્રયત્નથી મેળવ્યું છે. ગુરુદેવ ! આપની કૃપા છે, આપનો અનુગ્રહ છે. આપની કૃપાથી મળ્યું છે. આત્મ તત્ત્વનો નિર્ણય કરાવે, એવું એક દિવ્ય શાસ્ત્ર વિ.સં. ૧૯૫ર આસો વદ એકમ, ગુરુવાર તા. ૨૦-૧૦-૧૮૯૪ના રોજ આ ધરતી ઉપર પ્રગટ થયું, એ છે આત્મસિદ્ધિ શાસ્ત્ર. જેમાં ધ્યાનની, સમ્યજ્ઞાનની, સમ્યગ્દર્શનની પરમ અનુભૂતિની વાત છે. અનંતકાળના જીવના પ્રમાદની વાત, ને ભૂલની પણ વાત છે. આવું આત્મસિદ્ધિ શાસ્ત્ર માત્ર શાસ્ત્ર નથી પણ શાસ્ત્રોની ખાણ છે. સોનું બહાર નીકળી જવું જુદી વાત છે પણ સોનાની ખાણ મળી જવી એ જુદી વસ્તુ છે. કોઈ તમને કહે કે આ ૨૦૦ તોલા સોનું તમે લો અને આ સોનાની ખાણ અમને આપી દો, તો તમે કહો ને કે તું સોનું તારી પાસે રાખ, કારણ અમારી પાસે તો સોનાની ખાણ છે. આ ધરતી ઉપર ૮૦૦વચનામૃત નહિ હોય, બીજા શાસ્ત્રો નહિ હોય, પણ એક માત્ર આત્મસિદ્ધિ શાસ્ત્ર હશે તો બીજા શાસ્ત્રો એમાંથી જીવિત થશે. આ સમગ્ર શાસ્ત્ર અધ્યાત્મનું સંગીત છે, રત્નનો ડાબલો છે. ગામડીયાને એની ખબર ન પડે પણ ઝવેરી એને જાણે. એના એક એક શબ્દ પાસે અટકીને ઊભા રહીએ. તેનું મંથન કરીએ. તેનું ધોલન કરીએ. માખણ કાઢવા માટે દહીંને વલોવવું પડે છે એમ આત્મસિદ્ધિ શાસ્ત્રને વલોવવું પડશે. આ શાસ્ત્ર વહેતી પ્રચંડ નદી છે. નદી જ્યારે વહે છે ત્યારે કચરો તણાઈ જાય છે, તેમ અનંતકાળના આપણા બધા કચરાઓને તાણી જશે. નડિયાદ ગામમાં નાના કુંભનાથ મહાદેવના મંદિરમાં એક સાદા ઓરડામાં આ શાસ્ત્ર પ્રગટ થયું. કૃપાળુ દેવ ફરીને સાંજના ઘેર આવ્યા છે, ત્યારે લાઈટો નહીં હોય. સાથે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy