SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ XXVIII શબ્દાર્થ મેળવવાનું લક્ષ રાખી જીવનમાં થતાં દોષો દૂર કરવાની સાધના કરવી. રાગ, દ્વેષ અને અજ્ઞાનથી મુક્ત બનવું. આમ કરવાથી કર્મનો સંયોગ છૂટી જશે. રાગને દૂર કરવો વીતરાગતાથી, દ્વેષને દૂર કરવા પ્રેમ અને મૈત્રીથી અને અજ્ઞાનને દૂર કરવું સદ્ગુરુએ આપેલાં બોધથી. રાગદ્વેષ અને અજ્ઞાનને દૂર કરવા વીતરાગતા, પ્રેમ અથવા મંત્રી અને સમ્યદર્શન, આ ત્રણ સાધનો લઈને તમે પંથ ઉપર ચાલો એટલે સીધા મોક્ષના દરવાજે પહોંચી જશો. પરમાર્થ માત્ર ત્રણ કાળમાં એક જ છે. પરંતુ પરમાર્થને લક્ષમાં રાખી તમારે તમારા વ્યવહારને આયોજિત કરવો પડશે. સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુની પૂજા, સ્વાધ્યાય કોઈપણ સાધનથી રાગ, દ્વેષ, અજ્ઞાન ઘટે છે. જેનાથી રાગ દ્વેષ ઘટે એવો વ્યવહાર, એવી પ્રક્રિયા, એવું સાધન એ વ્યવહારમાર્ગની સાધના છે. આમ કરવાથી બને નય મળી જાય. લક્ષ અને સાધનાની સંધિ થઈ. નિશ્ચયે લીટી દોરી આપી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. અને એ માર્ગે સાધના કરી ચાલ્યાં તે વ્યવહાર થયો. સદ્ગુરુની આજ્ઞા મુજબ મન, વચન અને કાયાની એકતાનો પુરુષાર્થ તે વ્યવહાર. જ્ઞાન, દર્શન ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે. ગાથા - ૩૭-૩૮ આત્માર્થ:- આત્મકલ્યાણની ઈચ્છા. ભવેખેદ - ભવનો ખેદ થવો. પરિભ્રમણનો થાક લાગવો અને તેમાંથી છૂટવાની ઈચ્છા રહ્યા કરવી. ગાથા - ૩૯ અંતર રોગ - દુઃખદાયક અંતરદશા. અંતરમાં ઉકળાટ, અશાંતિ, ચિંતા, ભય, વાસના, કષાયોનું ઉત્પન્ન થવું આ બધા મનનાં રોગો તે અંતર રોગ છે. સદ્ગુરુના બોધથી અંતર રોગ મટે છે. જોગ - જોગ એટલે મિલન, જોગ એટલે પ્રાપ્તિ. સદ્દગુરુનો જોગ થવો એટલે સદ્ગુરુનું મિલન થવું. જોગમાં આત્મીયતા છે અને જોગમાં ઘટના ઘટે છે. જ્યાં ઘટના ઘટે ત્યાં આંતરિક ચેતનાનો સંબંધ થાય છે. અને એવા જોગથી મોક્ષપ્રાપ્તિ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy