SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ XVIII શબ્દાર્થ નિશ્ચય સમકિત કહે છે. આ અનુભવની ઘટના છે. નિશ્ચયનયની અપેક્ષાથી, શુદ્ધ ચૈતન્ય સાથે વળગેલ કર્મની, વિકારની, વિભાવની, રાગદ્વેષની, ગતિ, માર્ગણા, લેગ્યા, ગુણસ્થાનક, આઠકર્મો, કર્મબંધના કારણો, તે બધી ઉપાધિઓને બાદ કરતાં જે શુદ્ધ આત્મતત્ત્વ બાકી રહે છે તેની અનુભૂતિ થાય, સ્વયનો પ્રગટ અનુભવ થાય તેને સમકિત કહે છે. આ ઘટના પોતામાં નિર્વિકલ્પ અવસ્થામાં ઘટે છે. શુદ્ધ ચૈતન્ય પોતે, પોતા દ્વારા, પોતાની, પોતા માટે, પોતામાં જ અનુભવ કરે છે. જ્ઞાતા, શેય અને જ્ઞાનમાં ભેદ રહેતો નથી. દ્રષ્ટા, દૃશ્ય અને દૃષ્ટિ આ ત્રિપુટીમાં પણ ભેદ રહેતો નથી. અનંતાનુબંધી કષાયો તથા દર્શનમોહનો દાવાનળ સંપૂર્ણ રીતે શાંત થઈ જાય, બહારમાં ફરતી વૃત્તિ જે બહાર દોડતી હતી, તે પાછી વળી સ્વરૂપમાં ઠરી જાય, પછી શુદ્ધઆત્માની અનુભૂતિ, નિર્વિકલ્પ અનુભૂતિ જે થાય તેને જ્ઞાનીઓ નિશ્ચય સમકિત કહે છે. આ ઘટના આંતરિક અનુભવની છે, જેનું વર્ણન કોઈ કરી શકતું નથી. જે મુમુક્ષુ પોતાનો સ્વછંદ, મતનો આગ્રહ ત્યજી, સદ્ગુરુના લક્ષે વર્ત, સદ્ગુરુના ઉપદેશ પ્રમાણે જીવે, અને તે પ્રમાણે જ વર્તન કરે તેને આવું સમકિત પ્રાપ્ત થાય છે. મોક્ષમાર્ગની નિશાની સમ્યગદર્શન છે. આ મોક્ષ પ્રાપ્ત કરવાનું ચિન્હ છે. સમ્યગુદર્શન એટલે આત્માનો અનુભવ, આત્માનો સ્પર્શ, અને સમ્યગ્રદર્શન એટલે સ્વરૂપની અનુભૂતિ. સ્વસ્વરૂપનો રણકાર અંદરથી આવે એ સમ્યગદર્શન છે. ગાથા - ૧૮ નિજ છંદ - હું કહું છું તે જ સાચું છે, હું જે જાણું છું તે જ સાચું છે. ખોટું હોય તો પણ મેં જે માન્યું છે તે જ સાચું છે, તેવું માનીને જીવવું, સ્વીકારવું તેને શાસ્ત્રો માન, અભિમાન, અહંકાર અથવા નિજછંદ કહે છે. ૧) હું કહું છું તે જ સત્ય છે, ૨) પોતાની બુદ્ધિએ ધર્મ સંબંધની, કર્મવાદની કલ્પના કરવી, ૩) પોતાની બુદ્ધિ અને કર્તુત્વ ખાતર આધ્યાત્મિક માર્ગ બદલવો, ૪) ઉપરથી સારા દેખાવું પરંતુ સારા થવાના પ્રયત્નો ન કરતાં તેવી માયાજાળ પાથરવી, ૫) ઓધ દૃષ્ટિએટલે લૌકિક દૃષ્ટિથી ચાલવું, ગાડરિયા પ્રવાહમાં વિચાર વગર જોડાઈ જવું. આ બધા નિજછંદના લક્ષણો છે. આ નિજછંદમાંથી મુક્ત થવાનો રસ્તો છે. જે અતીન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરાવવાનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy