SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૮૧ પર્યાય છે જ, પણ એ પર્યાયની ક્ષમતા એવી છે કે આખા દ્રવ્યને ઝીલી શકે. દર્પણ નાનું છે, પણ હિમાલયનું પ્રતિબિંબ દર્પણમાં પડી શકે છે. છ ફૂટ ઊંચા માણસનું પ્રતિબિંબ દર્પણ ઝીલી શકે છે. દર્પણ છ ફૂટ લાંબુ નથી પણ તેને જોવાની ક્ષમતા દર્પણમાં છે. પર્યાયની ક્ષમતા એવી છે કે ત્રિકાળી અખંડ દ્રવ્યને વર્તમાનમાં પી જાય, એટલે તેનો અનુભવ થાય. સમગ્ર સાધના એ પર્યાય શુદ્ધિની સાધના છે. દ્રવ્ય શુદ્ધ જ છે. જેમ અગ્નિને ઉધેઈ ન લાગે તેમ દ્રવ્ય ક્યારેય અશુદ્ધ ન થાય, સાથે તેનાં અનંતગુણો પણ શુદ્ધ છે, તો વિકૃતિ ક્યાં આવી? પર્યાયમાં. સમગ્ર સાધના એ પર્યાય શુદ્ધિની જ સાધના છે, અને એ પર્યાય શુદ્ધિની સાધના એટલા માટે છે કે શુદ્ધ દ્રવ્યનો, પરમ દ્રવ્યનો અને પરિપૂર્ણ દ્રવ્યનો અનુભવ તે નિર્વિકલ્પ તો છે પરંતુ તે અનુભવ શુદ્ધ પર્યાયમાં થાય. એવો અનુભવ સાધકને કરવો છે. સાધકને એમ થાય છે કે મેં આત્માને સદ્ગુરુના મુખેથી અથવા શાસ્ત્રના શ્રવણથી જાણ્યો. વિચાર્યો, આત્મતત્ત્વ છે તેવો નિર્ણય કર્યો અને શ્રદ્ધા પણ કરી, પરંતુ હજુ એક કામ બાકી છે. એ આત્માની પરિપૂર્ણ અનુભૂતિ પર્યાયમાં કરવી છે, તેથી એવી અનુભૂતિ કરવા માટે પોતે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરે એવો ભાવ, એવી સંવેદના, એવી તાલાવેલી, એવી ધગશ, એવી અભિપ્યા અને એવી ઝંખના જેનામાં જાગી છે તે બને છે આત્માર્થી. બહુ નવો શબ્દ છે આત્માર્થી. આત્મસિદ્ધિમાં બે પક્ષો મહત્ત્વનાં છે. એક પક્ષ મતાર્થી અને બીજો પક્ષ આત્માર્થી. આત્માર્થી બન્યા વગર સાધનાની શરૂઆત નહિ થાય. જેણે આત્મહિત કરવું છે, આત્માનું ભલું કરવું છે તેણે આત્મા નિરાવરણ થાય તેવા પ્રયત્નો કરવાં પડે. આત્મા શુદ્ધ, ગુણો શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ થવી જોઈએ, તો જ શુદ્ધ આત્માની અનુભૂતિ થાય. ત્રણ અંગો શુદ્ધ થવાં જોઈએ. ત્રણે અંગો કહીએ ત્યારે ત્રણ અંગો જુદા છે તેવો અર્થ ન કરશો. દ્રવ્યમાંથી ગુણો છૂટા ન પડે અને ગુણોથી પર્યાય છૂટી નહિ પડે. ત્રણે વસ્તુ ત્રણે કાળ સાથે જ છે, પરંતુ વાત કહેતી વખતે કહેવું પડે કે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણે શુદ્ધ જોઈએ. આ ધરતી ઉપર આ શરીરમાં તે અવસ્થા પ્રાપ્ત થાય છે, પછી દેહ છૂટે છે, અને મોક્ષમાં જાય છે. મોક્ષ એ સ્થળનું વર્ણન છે, ક્ષેત્રનું વર્ણન છે પરંતુ ઘટના તો અહીં ઘટે છે. અહીં પૂરેપૂરા મુક્ત થાય છે. દ્રવ્ય પણ શુદ્ધ, ગુણો પણ શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ થયા, એ ત્રણે શુદ્ધ હોય તેવી અવસ્થા તે મોક્ષ છે, અને તેને સિદ્ધ અવસ્થા પણ કહેવાય છે. નિયમ પ્રમાણે એ દેહ છૂટ્યા પછી મોક્ષમાં જાય છે. એવી સાધના કરવાની તીવ્રતા જેના અંતરમાં જાગી છે તેને કહેવાય છે આત્માર્થી. આવો આત્માર્થી વિચાર કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy