SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ३४७ પ્રવચન ક્રમાંક - ૩૧ ગાથા ક્રમાંક - ૩૪ આત્માર્થીના લક્ષણો આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. (૩૪) ટીકા જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. ‘i સંમંતિ પાસદતં મોળતિ પાસ૬’ - જ્યાં સમક્તિ એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો, એમ આચારાંગસૂત્રમાં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચાં ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાન રહિત હોય તોપણ પોતાનાં કુળનાં ગુરુને સદ્ગુરુ માનવા એ માત્ર કલ્પના છે; તેથી કાંઈ ભવચ્છેદન થાય એમ આત્માર્થી જુએ છે. (૩૪) ૩૪ થી ૪૨ ગાથા સુધી એક વિશેષ પ્રકારની આંતરિક સાધનાની વાત છે. આ સાધના અનિવાર્ય છે. અને આ સાધના થશે તો જ સમ્યગુદર્શનથી માંડી વીતરાગતા સુધીની ઘટના ઘટી શકશે. આવી મહત્ત્વની સાધના છે, તેના તરફ આપણું ધ્યાન જતું નથી. જ્યાં જ્યાં ધર્મ શબ્દ આવે છે, અધ્યાત્મ શબ્દ આવે છે, યોગ શબ્દ આવે છે ત્યાં ખરેખર તો એવું થવું જોઈએ કે બહારમાંથી અંદર જવાનું હોય, એના બદલે આજે અંદરમાંથી બહાર આવવાનું થાય છે. આજે ધર્મ થાય છે, અનુષ્ઠાનો થાય છે, અને વ્રતાદિ પણ થાય છે, પણ એવી કઈ અવસ્થા છે જેમાં સાચા અર્થમાં અધ્યાત્મિક સત્યોની અનુભૂતિ આજે આપણને થાય. સાંસારિક ઘટનાઓ, કૌટુંબિક ઘટનાઓ, સામાજીક ઘટનાઓ અને ભૌતિક ઘટનાઓ કરતાં, અધ્યાત્મિક ઘટનાઓ સંપૂર્ણપણે જુદી છે, તે આંતરિક ઘટના છે. બહાર તમને દેખાશે નહિ, પણ જ્યારે અંદર ઘટના ઘટે ત્યારે જીવનમાં તેની અસર દેખાશે, એના જીવનનો વ્યવહાર અને ભૂમિકા બદલાશે. એનું શરીર, વાણી, મન, એની ઈન્દ્રિયો પહેલાં જે રીતે કામ કરતા હતાં, તે રીતે કામ નહિ કરે. તેનું આખું વ્યક્તિત્વ અને આખું માનસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy