SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ પ્રવચન ક્રમાંક - ૨૮, ગાથા ક્રમાંક - ૨૮, ૨૯ સન્માર્ગે વાપરી નાખ, પણ તે ફરી પૂછે કે ગુરુ મહારાજ મારી ઘરવાળીના નામે કરું તો? આને વ્રત લીધું પણ સંગ્રહ વૃત્તિ ન ગઈ. વ્રતોનું પાલન કરે છે પણ વૃત્તિઓનું નિરાકરણ થતું નથી. સંવત્સરી પ્રતિક્રમણ કરે, બીજા બધાને મિચ્છામિ દુક્કડ દે પણ જેની સાથે વૈરભાવ થયો છે તે નજીકમાં બેઠેલા પાડોશીને મિચ્છામિ દુક્કડ ન દે. પાપથી પાછા ફરવાની ક્રિયા રૂપ પ્રતિક્રમણ કર્યું પણ મનમાંથી વૈરની વૃત્તિ ન ગઈ. ધર્મક્રિયાઓ અને વ્રતો વૃત્તિઓના નિરાકરણ માટે છે, તે વાત ક્રિયાજડ સમજી શકતો નથી. બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ, જ્ઞાનમાર્ગનિષેધતા, તે ક્રિયાજડ આઈ. (૪) આ ગાથામાં ટૂંકમાં ક્રિયાજડની પાયાની વાત કરી, પણ ક્રિયાજડ કેવો હોય તેનું વિગતવાર વર્ણન બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય.” ગાથા ૨૪થી શરૂ કરી ૨૮મી ગાથામાં પૂર્ણ કર્યું. શાસ્ત્રોમાં ઠેર ઠેર વ્રતો વિષે વર્ણન છે. મોટા ભાગે જે ઉપદેશ અપાય છે તે વ્રતો માટે અપાય છે. એમ પણ કહેવામાં આવે છે કે આવા વ્રતનું પાલન કરવાથી, આવા ફળની પ્રાપ્તિ થશે, અને એ ફળની પ્રાપ્તિ સાંભળીને વ્રત કરવાનું મન થાય, ભાવ થાય અને વ્રતનો પ્રારંભ પણ કરે. વ્રતના પ્રકાર પણ અસંખ્ય છે. આ ધરતી ઉપર જેટલાં સંપ્રદાયો અને ધર્મો છે તે બધાએ અલગ અલગ રીતે પોતાનાં વ્રતો નક્કી કર્યા છે. મુસલમાનો એમ કહે છે કે પાંચ વખત નમાઝ પઢવાની, એમાં કાંઈ બાંધછોડ ચાલે નહિ. ક્રિશ્ચનો કહે છે કે રવિવારે પ્રાર્થના કરવી, એમાં કંઈ ચાલે નહિ. જૈનો કહે છે કે સામાયિક અને પ્રતિક્રમણ કરવા જોઈએ. આ વ્રતોનું પાલન કરવું એ શાસ્ત્રોનો આદેશ છે, પણ શાસ્ત્રોએ એક બીજી મહત્ત્વની વાત કરી છે. વ્રત પાલન તરફ ધ્યાન જાય છે, પરંતુ વ્રતો પાલન કરતી વખતે એક બીજી બાજુ પણ સ્પષ્ટ કરી છે તે તરફ ધ્યાન જતું નથી. જ્યાં સુધી આપણી વૃત્તિઓનું નિરાકરણ ન થાય, વૃત્તિઓનો ક્ષય ન થાય ત્યાં સુધી વ્રતોનું યથાર્થ પાલન કર્યું તેમ ન કહેવાય. આ વૃત્તિ શબ્દ મહત્ત્વનો છે. આખા જગતમાં માનવો, દેવો, પ્રાણીઓ બધાં જ વૃત્તિને આધીન છે. વૃત્તિ શબ્દ સમજી લઈએ. આત્મા અને કર્મ એ બન્નેના સંયોગમાં આત્મા અનાદિનો છે તેમ આત્માને કર્મનો સંયોગ પણ અનાદિનો છે. આજે જ કર્મો ઊભા થયાં તેવું નથી, જ્યારથી આત્મા છે ત્યારથી કર્મો પણ છે. આત્મા અને કર્મ એ બન્નેના સંયોગમાં આત્મામાંથી ઊઠતા તરંગો એનું નામ વૃત્તિ. નદી પણ છે અને નદીમાં પાણી પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy