SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૨૭ તમને ગમો, અણગમો હશે તો તમારી સાધનામાં અંતરાય ઊભો થયા વિના નહિ રહે. ચિદાનંદજી કહે છે, અવધૂ, નિરપક્ષ વિરલા કોઈ, દેખા જગ સૌ જોઈ. અમે આખા જગતમાં જોયું તો નિષ્પક્ષ કોઈક જ મળ્યાં. જેમને કોઈ પક્ષ જ નહિ. આ મારું, આ મારું નહિ, આ મને અનુકૂળ નથી, આ મારો ભક્ત એવો જેમને કોઈ પક્ષ જ નથી, અને નિરંતર જેમની ચેતના સ્વરૂપમાં રમણતા કરે છે, તે સ્વરૂપ રમણતા આ ત્રીજી મૂડી. શિષ્ય પાસે વિનયની મૂડી જોઈએ, અને સદ્ગુરુ પાસે નિરપેક્ષતા, નિષ્પક્ષતા અને સ્વરૂપ રમણતા, એમ ત્રણ મૂડી જોઈએ. વિનયની બાબતમાં પણ ત્રણ બાબતો આવે છે. એક બાબત વૈયાવચ્ચ, બીજી શુશ્રષા અને ત્રીજી સેવા. આ ત્રણે ઘણા મહત્ત્વના છે. વૈયાવચ્ચે પારિભાષિક શબ્દ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ઓગણીસમાં અધ્યયનમાં શિષ્ય પૂછે છે કે, वेयावच्चेणं भंते ! जीवे किं जणयइ ? वेयावच्चेणं तित्थयरनामगो कम्मं निबंधइ ॥ ४५ ॥ હે ભગવંત ! વૈયાવચ્ચ કરવાથી જીવને શું લાભ થાય છે? અને ભગવાન કહે છે કે વૈયાવચ્ચ કરવાથી તીર્થકર નામકર્મ નામની પ્રકૃતિનો બંધ થાય છે. એટલી ઊંચી કક્ષાએ તે વૈયાવચ્ચ કરતો કરતો પહોંચે છે. વૈયાવચ્ચનો અર્થ સેવા કરતાં હો તો તે અધૂરો અર્થ છે, ખોટું નથી પણ અધૂરું ભાષાંતર છે. વૈયાવચ્ચમાં કંઈક વિશેષ તત્ત્વ છે, જે કરવાથી તીર્થકર નામકર્મનો બંધ થાય છે. જેમને માટે સદૂભાવ છે, તેમના ચરણમાં પોતાનું સમગ્ર જીવન અર્પણ કરીને, જીવનના છેલ્લા શ્વાસ સુધી તેમની આજ્ઞાએ આજ્ઞાએ જીવવું, સેવા કરવી તેને કહેવાય છે વૈયાવચ્ચ. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. વૈયાવચ્ચ એ વિનયમાંથી વહેતી થયેલ ગંગા છે. બીજી શુશ્રુષા...શુશ્રુષા શબ્દનો અર્થ થાય છે-અત્યંત કાળજીપૂર્વક, અત્યંત કૃતજ્ઞતાપૂર્વક સામાં જીવની પીડા અને દુઃખને દૂર કરવા તમામ પ્રકારની પ્રક્રિયાનો પ્રયત્ન. સેવા એટલે બીજાને સુખ અને શાતા આપવી. શિષ્ય પાસે સૌથી મોટી મૂડી હોય તો વિનયની મૂડી છે. અને ગુરુ પાસે નિરપેક્ષતા, નિષ્પક્ષતા અને સ્વરૂપમાં રમણતાની મૂડી છે. બન્ને મૂડી એકત્રિત થાય, અને તેનો ગુણાકાર થાય તેને કહેવાય છે ગુરુ શિષ્ય. મોક્ષ જેવો લાભ અને કેવળજ્ઞાન જેવો લાભ જોઈતો હોય તો આ મૂડી જોઈશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy