SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ XIX સાગોડીયાની સ્થાપના કરી. એમની ઉદ્ઘોષણા છે : “ધર્મ એક છે. ધર્મ સનાતન છે. ધર્મ એ પરબ્રહ્મ પ્રાપ્તિનો એક માર્ગ છે. રસ્તા અનેક હોય પણ છેવટનું વિશ્રામ સ્થાન તો એક જ છે, માટે ધર્મને સંપ્રદાયના વાડામાં કેદ ન કરો. ધર્મને નામે કદી પણ ઝઘડો ન કરો. જ્યાં ઝઘડો છે ત્યાં ધર્મ નથી જ.” - પૂ.ગુરુજીની પ્રેરણાથી અથાક પરિશ્રમ અને અખૂટ ધીરજપૂર્વક સાગોડીયાની ખારીપાટ ૬૮ એકર જમીન ઉપર વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા જમીન સુધારણા થઈ, સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયાને નયનરમ્ય ચિત્તઆકર્ષક નૈસર્ગિક સુંદરવનમાં રૂપાંતરિત કરેલ છે. મનના કોલાહલને શાંત કરી, ભીતરના આંદોલનને ઝંકૃત કરી, આત્મખોજ અર્થે સાધક અહીં પ્રગાઢ શાંતિ અને અલૌકિક આનંદનો અનુભવ કરે છે. ચમત્કાર અને દુન્યવી લાલચથી પોતાની પાસે આવવાનું અનુમોદન ન આપતાં પૂ.ગુરુજી હંમેશા આગંતુકને સમજાવતાં હોય છે કે એક ખૂણે બેઠા બેઠા માણસના જીવનમાંથી રાગ, દ્વેષ, કષાયને ઓછા કરવાનો અમારો પ્રયત્ન છે. અમારે માણસને નરમાંથી નારાયણ કરવો છે. આ અમારું ધ્યેય છે અને એ માટે અમારા પ્રયત્નો છે. પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં અહીં આશ્રમમાં શિક્ષણ, સેવા તથા આત્મઆરાધનાની પ્રવૃત્તિઓ સુંદર રીતે ચાલી રહી છે. - સદાચાર, ચારિત્ર્ય ઘડતર માટે જીવન જ્યોતિ જ્ઞાનમંદિર (બુનિયાદી માધ્યમિક શાળા) અને જીવન જાગૃતિ સંસ્કાર મંદિર (ગુરુકુળ-છાત્રાલયોમાં વિદ્યાર્થીઓનો સર્વાગી અને સંતુલિત વિકાસ થઈ રહ્યો છે. કોમ્યુટર સેન્ટર, પુસ્તકાલયની સગવડો સાથે શાળામાં સંસ્કાર સિંચન સહ સાચી કેળવણી માટે પૂ.ગુરુજી પ્રયત્નશીલ રહે છે. આશ્રમમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પૂ.ગુરુજીના વડપણ હેઠળ સંતોષજનક ચાલે છે. આરોગ્ય સેવા માટે શ્રી એમ. વસા પરિવાર મોબાઈલ મેડીકલ વાન અને સ્થાનિક મેડીકલ ડીસ્પેન્સરી, મધ્યમ વર્ગ અને નિરાધારોને સહાય કરવા હરિઓમ્ સહાય યોજના, મંદબુદ્ધિ અપંગ સહાય યોજના, તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિઓ, વિધવાઓ માટે સહાય યોજનાઓ, દુષ્કાળ-અતિવૃષ્ટિ-ભૂકંપ વખતે | વિવિધ રાહતકાર્યો પૂ.ગુરુજીની રાહબરી હેઠળ નિયમિત ચાલતા હોય છે. અહિંસા પ્રેમી પૂ.ગુરુજીએ જીવમાત્રનું કલ્યાણ થાય એવી ભાવકરુણાને મૂર્તિમંત કરવા કુમુદ ગૌશાળામાં ગાયોની સેવા શુશ્રુષા અર્થે સુંદર વ્યવસ્થાનું આયોજન કર્યું છે. સૌંદર્યસભર નૈસર્ગિક કુમુદ ગૌશાળા મધ્યે બંસરીવાદક ભગવાન કૃષ્ણની પ્રતિમા | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy