SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ભલે સન્માન કરે, એ ગવર્નર થયા છે. પણ કોઈએ સંસાર ત્યાગ કર્યો તો તેનું કોઈ સન્માન કરે કારણ એણે ત્યાગ કર્યો છે, પણ મારું સન્માન થાય તેવો રસ અંદર પડ્યો હોય તો એ રસને પોષનાર અજ્ઞાન છે. તમે ઉપવાસ કર્યો હોય અને તમને કોઈ પૂછે કે આજે શું કર્યું છે? તો તમે કહો કે ઉપવાસ કર્યો છે. અને જો કોઈ કહે કે એમાં શું નવાઈ કરી ? તો તમને ગમશે નહિ, અને જો કોઈ એમ કહે કે અહો ધન્યવાદ, તો સારું લાગે. અરે ! ઉપવાસ ધન્યવાદ સાંભળવા કર્યો છે કે વૃત્તિઓનો ક્ષય કરવા માટે કર્યો છે? પણ જીવને આ ગમે છે, કેમકે અજ્ઞાન છે, અને અજ્ઞાન જો હશે તો જીવની વૃત્તિ આત્મામાં ઠરવાને બદલે બહાર ફરતી હશે. જેના અંતઃકરણમાં ત્યાગ વૈરાગ્ય આદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. એક એક સિદ્ધાંત વિચારજો. કેમ ન થાય? તે ચર્ચાથી ન થાય, વાદ વિવાદથી ન થાય, શાસ્ત્રો કંઠસ્થ કરવાથી ન થાય. કેમ ? તો કહે છે કે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મ ઉપદેશનું પ્રતિબિંબ પડતું નથી. બહુ મોટી વાત કરી. અંદર આત્મ ઉપદેશનું પ્રતિબિંબ પડવું જોઈએ ને? ક્યાંથી પડે? પાણી ડહોળાયેલું હોય, ચાંદીનો સિક્કો ન દેખાય. ચાંદીનો સિક્કો જો જોવો હોય તો પાણીને શાંત થવા દેવું પડે. દર્પણમાં મોટું જોવું હોય તો દર્પણને ચોખ્ખું કરવું પડે. એમ આત્મ ઉપદેશનું પ્રતિબિંબ અંદર પડતું નથી, કારણ અંતઃકરણ મલિન છે, નિર્મળ નથી. ઘણું સાંભળ્યું, ઘણું વાંચ્યું, ઘણી પારાયણ કરી, ઘણા શાસ્ત્રો વાંચ્યા પણ પ્રતિબિંબ પડ્યું નહિ કારણ કે દર્પણ ઉપર બહુમેલ છે. તો ભાઈ ! એ દર્પણને ચોખ્ખું કરવું પડશે. તેમજ ત્યાગ વૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને છે ને પોતાના આત્માનું ભાન ભૂલે છે. ત્યાગ, વૈરાગ્ય ઉત્તમ શ્રેષ્ઠ અવસ્થા છે તેમાં ના નહિ, પણ આત્માના ભાન વગર એ અવસ્થા શોભતી નથી. એટલા માટે આત્મજ્ઞાન નહિ હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે આત્મજ્ઞાન જો ન હોય તો અજ્ઞાન સાથે છે. ત્યાગ ખરો પણ અજ્ઞાન સાથે, વૈરાગ્ય ખરો પણ અજ્ઞાન સાથે. અજ્ઞાન હોવાના કારણે તે આત્મજ્ઞાન તરફ જાય નહિ. તો જાય ક્યાં? બહારમાં જાય, માનમાં, પ્રતિષ્ઠામાં, પ્રશંસામાં, લોકસંજ્ઞામાં, લોકવૃત્તિમાં જાય અને ત્યાગ વૈરાગ્ય આદિનું માન ઉત્પન્ન કરવા અર્થે તેને એમ થાય છે કે મેં આટલો ત્યાગ કર્યો છે તો મને માન મળવું જોઈએ, મને સન્માન મળવું જોઈએ, મને આદર મળવો જોઈએ. માન ન મળે તો જીવને ગમે નહિ, તે અજ્ઞાનની પીડા છે, અને અજ્ઞાનની પીડા હોવાના કારણે માનાર્થે કરે તેથી સર્વ સંયમની પીડા થઈ માટે સંસારનો ઉચ્છેદ થાય નહિ. ઘા ક્યાં કરવો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy