________________
મદન-ધનદેવ થા
દિકરા પછી એક દિકરી મળેલી, જેનું નામ હતું શ્રીમતી, શ્રીમતી રતિને ભૂલાવે એવી રૂપવાન હતી. તો સાથે-સાથે વિદ્યા અને કળાઓનો ખજાનો પણ હતી. શ્રીપુંજે શ્રીમતીના વિવાહ નગરના અગ્રગણ્ય સાર્થવાહ વસુદત્તના પુત્ર સાથે ગોઠવ્યા હતા, વિવાહનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ચાલી રહ્યો હતો.
સાર્થવાહનો પુત્ર પણ ઉત્તમ જાતના વસ્ત્રો, કિંમતી અલંકારો પહેરી અશ્વ પર બેસીને આવી રહ્યો હતો. ચારે તરફ શરણાઈ-ઢોલ વગેરે વિવિધ જાતના વાજીંત્રો વાગી રહ્યા હતા. સમગ્ર વાતાવરણ આનંદ અને ઉલ્લાસમય હતું. લોકોની ભીડ વરરાજાનું મુખ જોવા પડાપડી કરી રહી હતી. જાન શ્રીપુંજ શ્રેષ્ઠીના ઘરના દ્વારે આવી પહોંચી.
નસીબજોગે લોકોની ભીડમાં એક લાકડાનો થાંભલો પડ્યો, તોરણનો એક તીક્ષ્ણ ભાગ સીધો વરરાજાના મર્મસ્થાન પર વાગ્યો. લોહીની ધાર વછૂટી અને ત્યાં ને ત્યાં જ વસુદત્તનો પુત્ર મૃત્યુ પામ્યો. વસુદત્તનો સમગ્ર પરિવાર શોકાતુર બન્યો. હૈયાફાટ રૂદન કરતા-કરતા સૌ ઘેર પાછા વળ્યાં.
Jain Education International
309
શ્રીપુંજ શેઠને પણ ખૂબ દુઃખ થયું. પરીવારને ભેગો કર્યો. ચર્ચા માંડી.
‘દિકરીના લગ્ન આજે નહીં થાય તો લોકોમાં એ ‘અભાગિણી’’ અને ‘શાપિત સ્ત્રી’’ તરીકે પંકાશે. કોઈ એની સાથે પરણવા તૈયાર નહીં થાય.’
‘તો શું કરીશું?’ એકે પ્રશ્ન કર્યો. ‘અરે! વિચારવાનું શું હોય? સેવકોને મોકલો નગરમાં, કોઈ ઉત્તમલક્ષણો પુરુષ દેખાય તેને લઈ આવે, આપણે સમજાવીશું ને પછી પરણાવીશું.' બીજાએ જવાબ વાળ્યો.
શેઠને આ વાત સારી લાગી. આજે જ પરણી જાય તો સારું રહે.’ તરત જ શેઠે સેવકોને અલગ-અલગ દિશાએ મોકલ્યા. આખું ગામ ફરી વળ્યા. પણ શ્રીમતીની તોલે આવે કે શ્રીમતીને પસંદ પડે એવો એકે પુરુષ ન મળ્યો, નિરાશવદને પાછા ફરતા હતા ત્યાં જ ધનદેવ તેમની નજરમાં આવ્યો.
‘વાહ! આ પુરુષ ઉત્તમ છે, યુવાન પણ છે અને રૂપવાન પણ છે.’
તરત જ ધનદેવને ત્યાંથી લઈ જઈ શેઠ પાસે હાજર કર્યો. ધનદેવને જોઈ
For Personal & Private Use Only
www.jainelibrary.org