SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મદન-ધનદેવ થા ‘પુન્યવાનો! આવો મહાન શાશ્વત ધર્મ પામ્યા પછી અશાશ્વત અને એક જ ભવના આ સંબંધોના કારણે આટલો બધો શોક કરવો શું ઉચિત છે? ધન, યૌવન, રૂપ બધું જ નાશવંત છે. જેનું સર્જન છે તેનું અવશ્ય વિસર્જન છે જ. માટે શોક મૂકો. શાશ્વત ધર્મ માટે ઉદ્યમ કરો.’ મુનિ ભગવંતની વાણી બન્નેને હૃદય સોંસરવી ઉતરી ગઈ. નવું જીવન મેળવ્યાનો બન્નેને અહેસાસ થયો. પૂર્વવત્ ધર્મ આરાધના અને વ્યાપારાદિમાં બન્ને જોડાઈ ગયા. થોડા સમય પછી ઘરમાં ક્લેશ વધવા લાગ્યો, બન્નેની પત્નીઓ નાની-મોટી વાતમાં રોજે રોજ કલહ કરવા લાગી, બન્ને ભાઈ વચ્ચે પ્રેમ યથાવત્ જ હતો. વેપારમાં પણ બન્ને સાથે જ રહ્યા. પણ પત્નીઓના કારણે બન્નેએ ઘર જુદા કર્યા. એકવાર નાનાભાઈને ચિંતિત જોઈ મોટાભાઈએ પૂછ્યું. ‘હા.’ ‘શેની ચિંતા છે?’ Jain Education International ‘મારી પત્ની સ્વેચ્છાચારિણી છે, મારું કહ્યું માનતી નથી, હું અહીં વેપારાર્થે હોઉ ત્યારે એ શું કરે છે! એ મને ખબર જ નથી, વાતે વાતે ખોટું બોલવાનો એનો સ્વભાવ થઈ ગયો છે. હું તેનાથી ઉદ્વિગ્ન થઈ ગયો છું.’ જો ધનદેવ! આનો બીજો તો શું રસ્તો નીકળે? એક વખત જેની સાથે લગ્ન થાય તેને જીવનભર નિભાવ્યા વિના છૂટકો જ નથી.’ ‘એટલે મારે તો આખી જિંદગી સહન જ કરવાનું ને?’ 37 ‘ના ના એવું નથી. કાંઈક તો રસ્તો નીકળશે.’ થોડીવાર વિચારી મોટાભાઈએ પ્રસ્તાવ મૂક્યો. ‘ધનદેવ! તારા મુખ પર ચિંતા દેખાય તો તને તો શાંતિ મળશે જ.’ છે?’ ‘એક કામ થાય.’ શું?' ‘તું બીજી કોઈ ઉત્તમ કન્યા સાથે લગ્ન કરી લે, કુલવાન સ્ત્રીની થોડી ઘણી શરમે પણ એનામાં કાંઈક ફેર પડશે, નહીં ધનદેવે આ વાત વધાવી લીધી, યોગ્ય કુલવાન કન્યા ગોતી ધનસારે નાનાભાઈના લગ્ન કરાવ્યા. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy