________________
પ્રાસ્તાવિક્રમ્
કથા સામાન્યતઃ સર્વજનોને પ્રિય હોય છે. અને તેના દ્વારા બોધ સરળતાથી ગ્રહણ થઈ શકે છે. પૂ. પદ્મવિજય મ.સા. એ કાવ્યમાં ઢાળીને તે કથાને વધુ પ્રિય-ગ્રાહ્ય અને રસિક બનાવી છે. કાવ્યના ત્રણ ઉદ્દેશ્યો છે. (૧) આનંદપ્રાપ્તિ (૨) યશપ્રાપ્તિ અને (૩) સરળતાથી ઉપદેશ પ્રદાન. નિઃસ્પૃહ અને નિરીહ જૈન મુનિ માટે યશપ્રાપ્તિનો ઉદ્દેશ્ય પ્રાયઃ ન ઘટે. બીજા બન્ને ઉદ્દેશ્યો આનંદ પ્રાપ્તિ અને સરળતાથી ઉપદેશ પ્રદાનના હેતુથી આ રાસ રચાયો હોય એમ લાગે છે.
2
પ્રસ્તુત રાસની રચના પૂજ્ય પદ્મવિજયજી મ.સા.એ વિક્રમ સંવત ૧૮૫૭ની શ્રાવણ સુદ-પંચમીએ રાજનગર (અમદાવાદ)માં રહીને શ્રી સીમંધર સ્વામી તથા શ્રી ભાભા પાર્શ્વનાથ પ્રભુના સાન્નિધ્યમાં પૂર્ણ કરી. કવિશ્રીએ આ રાસ ૧૯ દેશીઓમાં ઢાળ્યો છે. દરેક ઢાળની શરૂઆત થોડા દુહાથી કરવામાં આવી છે. રાસની કુલ કડી ૪૬૨ છે.
રાસના અંતે કવિશ્રી પોતે જ જણાવે છે કે આ મદન-ધનદેવ કથાનો અધિકાર સુમતિનાથ ચારિત્ર તથા જયાનંદ ચરિત્રમાં છે.
‘પંચમ સુમતિ જિણેસરુ રે, તેહના ચરિત્ર મઝાર,
વળી શ્રી જયાનંદ ચરિત્રમાં રે, ભાખ્યો એહ અધિકાર.’ (૧૯/૩૦)
(૧) વિક્રમની ૧૩મી સદીમાં થયેલા ચંદ્રગચ્છીય શ્રી સોમપ્રભસૂરિજી વિરચિત ‘સુમઈનાહ ચરિય’ (ગ્રંથાગ્ર-૯૮૨૧)ના પ્રથમ પ્રસ્તાવને અંતે તથા દ્વિતીય પ્રસ્તાવની આદિમાં આ કથા મહારાષ્ટ્રી-પ્રાકૃત ભાષામાં ગદ્ય-પદ્યના મિશ્રણથી વર્ણવાયેલી છે. અહીં શ્રી સુમતિનાથ પ્રભુના પુરુષસિંહ રાજકુમાર તરીકેના પ્રથમ ભવના પિતા વિજયસેન રાજાને મણિચૂડ (કે જે ધનદેવના મહેન્દ્રસિંહ વિદ્યાધરચક્રવર્તી તરીકેના ભવમાં પુત્ર છે તે) પોતાની આત્મકથા જણાવતા આ કથાનક કહે છે.
૧. ટી૦ ાવ્યમાનંદ્રાય યશસે વાન્તાતુન્યતયોપવેશાય ચ। (કાવ્યાનુશાસનમ્-૧/૧)
૨. ટી૰ આ સોમપ્રભસૂરિજી – મુનિચંદ્રસૂરિજી તથા માનદેવસૂરિજીના શિષ્ય અજીતદેવસૂરિજીના શિષ્ય વિજયસિંહસૂરિજીના શિષ્ય
છે. તેઓ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીના સમકાલીન હતા. આ ચરિત્ર ઉપરાંત તેમણે સૂક્તિમુક્તાવલી (સંબોધસત્તરી), શતાર્થ
કાવ્ય, શૃંગાર વૈરાગ્ય તરંગિણી, કુમારપાલ પ્રતિબોધ (સં. ૧૨૪૧)ની રચના કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org