________________
ભક્તિમાર્ગનું રહસ્ય
પૂરક-વચનામૃત જ્ઞાનીના આશ્રયે મનુષ્યદેહની સાર્થકતા
દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થવા છતાં કંઈ પણ સફળપણું થયું નહિ, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો, જે પુરૂષના આશ્રયે અનેક પ્રકારના મિયા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરૂષના આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે જન્મજરા-મરણાદિકને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વતે છે, તે પુરૂષને આશ્રય જ જન્મ–જરા-મરણાદિકને નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે ઓશ્રયને પામીને જીવ તે ભાવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.”
–શ્રીમદ રાજચંદ્ર પત્રક, ૬૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org