SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનના ભક્તની સાધના ૨૨૩ (૭) આથી હવે સંકલ્પ-વિકલ્પ કે રાગદ્વેષ કરવાની મારી લેશ માત્ર ઈચછા નથી. શ્રીગુરૂની કૃપા થકી હું મનની સ્થિરતા અને ચિત્તની શાંતિનું સર્જન કરું છું. (૮) હું સ્થિર અને શાંત થઉં છું. હું જ પ્રભુ છું એમ જાણું છું. હું જ ઈશ્વર છું એમ ચિંતન કરું છું. (૯) હું ખૂબ સ્થિર અને શાંત થઉં છું. હું પરમાત્મસ્વરૂપ છું એમ પ્રતીત કરૂ છું. [૨] પ્રાથમિક ભૂમિકામાં સ્થિત તથા પરમાર્થના રૂચિવંત જીવને માટે આત્મવિકાસ અર્થે શ્રી ગુરૂદેવે અકારણ કણાથી બતાવેલ પ્રાગ વિધિવિધાન સહીત કહેવામાં આવે છે, તેનું ફળ એકાગ્રતા અને સ્થિરતાની ક્રમશઃ પ્રાપ્તિ એ છે. દરરોજ નિયમિત સમયે અને સ્થળે બે વખત (અથવા વધારે વખત) સવારે અને રાત્રે ત્રીશ મિનિટથી એક કલાક સુધી પ્રયોગ કર, ઊઠતા વિકલ્પ પર સંયમ લાવવા માટે આ અભ્યાસ ઘણે ઉપકારી છે. ભગવાનરૂપ સત્પરૂષ એટલે પિતાના પરમ ઉપકારી શ્રી ગુરુદેવના ચિત્રપટ સન્મુખ બેસવું. દેહની સ્થિરતા જાળવવી, એટલે હલનચલન ન થાય એવા સુખાસને બેસવું. ઈચ્છિત સમય પર્યત સંસારના સર્વ ભાવથી વિરામ પામી ચિત્તને પર્ણ સ્થિર કરવું. પછી એક દીર્ઘ શ્વાસ ખેંચી છેડી દે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005516
Book TitleBhakti Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy