SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૮૩-૧૯૮૪ ૩૮૯ આનાથી એ ફલિત થાય કે સુસાધુઓ સદા સમભાવના અભ્યાસવાળા હોવાથી અનશનકાળમાં તેઓને અનશનના બળથી પ્રાયઃ સમભાવનો ઉત્કર્ષ થાય છે; પરંતુ જેઓ સદા શિથિલ પરિણામવાળા હોવા છતાં સંયમ પ્રત્યે બદ્ધરાગવાળા છે, તેવા સંવિગ્નપાક્ષિક સાધુઓ સુસાધુ પ્રત્યેના પક્ષપાતવાળા છે અને શુદ્ધ પ્રરૂપણા કરનારા છે, છતાં સમભાવના પરિણામમાં સમ્યગુ યત્ન કરી શકતા નથી, તેથી પ્રમાદથી અસંયમની પ્રવૃત્તિઓ કરે છે. માટે અંતસમયે ચારિત્રને પ્રાપ્ત કરવું તેઓ માટે દુષ્કર છે; આમ છતાં “આ મારો જીવનનો અંતિમ કાળ છે” એવી સ્મૃતિ થવાથી વીર્ય પ્રકર્ષવાળું થાય તો સંવિગ્નપાક્ષિકને પૂર્વે જે સમભાવ પ્રત્યેનો બદ્ધરાગ હતો તે સમભાવ ચિત્તમાં પ્રગટ થાય છે, તેથી તે મહાત્મા વિરતિને પ્રાપ્ત કરે છે અને કદાચ તેવો સમભાવ ચિત્તમાં પ્રગટ ન થાય તોપણ તે મહાત્મા સ્વભૂમિકાનુસાર આરાધનાને પ્રાપ્ત કરે છે. ll૧૬૮૩ll અવતરણિકા : ગાથા ૧૬૮૧ના પૂર્વાર્ધમાં કહેલ કે પૂર્વે શીતલ પણ અંત સમયે સંવેગ પામીને આરાધનાને પામે છે એ સાધુ સદા પણ પ્રાયઃ ભાવથી સંવિગ્નપાક્ષિક જ હોય છે. ત્યારપછી ગાથા ૧૬૮૨-૧૬૮૩માં સંવિગ્નપાક્ષિક કઈ રીતે ચરમકાળે આરાધનાને પ્રાપ્ત કરે છે ? તેની સ્પષ્ટતા કરી. હવે ગાથા ૧૬૮૧ના ઉત્તરાર્ધમાં કહેલ કે અસંવિગ્નપાક્ષિક ચરમકાળમાં પણ વિરતિરત્નને પ્રાપ્ત કરતા નથી. તેની સ્પષ્ટતા કરે છે – ગાથા : जो पुण किलिट्ठचित्तो णिरविक्खोऽणत्थदंडपडिबद्धो । लिंगोवघायकारी ण लहइ सो चरमकाले वि ॥१६८४॥ અન્વયાર્થ: નો પુત્રવળી જે (સાધુ) શિનિોિ ક્લિષ્ટ ચિત્તવાળા છે, રિવિવ=નિરપેક્ષ છે, અસ્થિતંદુપડવો અનર્થદંડમાં પ્રતિબદ્ધ છે, ત્રિોવાયર=લિંગના ઉપઘાતકારી છે, તો એ ચરમને વિચરમકાળમાં પણ (વિરતિરત્નને) [ નદë=પ્રાપ્ત કરતા નથી. ગાથાર્થ : વળી જે સાધુ ક્લિષ્ટ ચિત્તવાળા છે, નિરપેક્ષ છે, અનર્થદંડમાં પ્રતિબદ્ધ છે, લિંગનો ઉપઘાત કરનારા છે, એ ચરમકાળમાં પણ વિરતિરત્નને પ્રાપ્ત કરતા નથી. ટીકા : ___ यः पुनः क्लिष्टचित्तः सन्निरपेक्षः सर्वत्रानर्थदण्डप्रतिबद्धः, तथा लिङ्गोपघातकारी तेन तेन प्रकारेण, न लभतेऽसौ विरतिरत्नं चरमकालेऽपीति गाथार्थः ॥१६८४॥ ટીકાર્થ: વળી જે ક્લિષ્ટ ચિત્તવાળા છતા સર્વત્ર નિરપેક્ષ છે, અનર્થદંડમાં પ્રતિબદ્ધ છે, અને તે તે પ્રકારથી= Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy