SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ સેલખનાવસ્તુક | અજુદત મરણ / ભક્તપરિજ્ઞા / ગાથા ૧૮૨ નોંધ: ટીકામાં પ્રવૃત્ત:'ને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે પ્રવૃત્તોfપ' હોય તેમ ભાસે છે. ટીકાર્ય : સંવિન... પુણેવળી શીતલવિહારી એવા સંવિગ્નપાક્ષિક પ્રમાદને કારણે કાયાથી અન્યત્ર=અપ્લાયાદિના ભોગમાં, પ્રવૃત્ત પણ પુરુષમાં દઢ રક્ત સ્ત્રીની જેમ ધર્મમાં જ તલિપ્સાવાળા તતચિત્તવાળા, હોય છે. હવે તે દષ્ટાંત અને દાન્તિકયોજન સ્પષ્ટ કરે છે – સ ... મનોતિ જે રીતે કુલજ એવી ત=સારા કુળમાં જન્મેલી એવી સ્ત્રી, પ્રોષિતભર્તૃક=જેનો પતિ પરદેશ ગયો છે એવી, ક્યાંક જાતરાગવાળી કોઈક પરપુરુષમાં ઉત્પન્ન થયેલા રાગવાળી, કાદાચિત્ય સ્વલ્પ કાળ માટે તેની પ્રાપ્તિથી ક્યારેક અલ્પ કાળ માટે તે પરપુરુષની પ્રાપ્તિથી, દાનાદિ ક્રિયામાં પ્રવૃત્ત એવી પણ તર્ગતચિત્તવાળી તે પરપુરુષવિષયક ચિત્તવાળી, પાપથી યોજાય છે અને અલ્પ એવું દાનાદિ ક્રિયાનું ફળ પ્રાપ્ત કરે છે. પર્વ... નાથાર્થ: એ રીતે કાયામાત્રથી અસમંજસમાં પ્રવૃત્ત એવા સંવિગ્નપાક્ષિક પણ ભાવથી ધર્મમાં રક્ત એવા ધાર્મિક જ માનવા, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સંવિગ્નપાક્ષિક સાધુ અનશનકાળથી પૂર્વકાળમાં શીતલ પરિણામવાળા હોય છે, તેથી તે વખતે પ્રમાદને કારણે કાયાથી તેઓ સંયમથી વિપરીત પ્રવૃત્તિઓ કરે છે, તોપણ સંવિગ્ન સાધુઓ પ્રત્યેના પક્ષપાતને કારણે તેઓ ધર્મમાં જ લિપ્સાવાળા છે. તેમાં દષ્ટાંત બતાવે છે – કોઈ સારા કુળની સ્ત્રીનો પતિ દીર્ઘકાળથી પરદેશ ગયો હોય, ત્યારે તે કુલીન પણ સ્ત્રીને યૌવનને કારણે કોઈ અન્ય પુરુષ પ્રત્યે રાગ થઈ જાય અને ક્યારેક અલ્પ કાળ માટે તે સ્ત્રી પરપુરુષ સાથે સંબંધ પણ કરે, તોપણ કુલીન હોવાથી તે સ્ત્રી પતિના વિરહમાં દાનાદિ ક્રિયામાં પ્રવૃત્તિવાળી થાય છે; તે વખતે તે દાનાદિ ક્રિયા કરવા છતાં પરપુરુષવિષયક ચિત્તને કારણે પાપથી યોજાય પણ છે, તેમ જ કુલીન હોવાથી દાનાદિ ક્રિયા કરીને શીલ પાળવા માટે યત્ન પણ કરે છે, તેથી તે દાનાદિનું અલ્પ ફળ પ્રાપ્ત કરે છે. એ રીતે સંવિગ્નપાક્ષિક સાધુ પણ ચારિત્રધર્મમાં રક્ત હોવાથી ધાર્મિક જ છે; અને તે કુલીન સ્ત્રી જેમ કાયાથી દાનાદિ કરે છે માટે તે દાનાદિના અલ્પ ફળને પામે છે, તેમ સંવિગ્નપાક્ષિક પણ કાયામાત્રથી સંયમવિરુદ્ધ આચરણ કરે છે તેથી તે વિરુદ્ધ આચરણના અલ્પ ફળને પામે છે. અહીં વિશેષ એ છે કે જેમ કુલીન સ્ત્રીનું દાનાદિકાળમાં કંઈક ધર્મવિષયક ચિત્ત છે, તોપણ મુખ્યત્વે પરપુરુષવિષયક ચિત્ત છે, તેથી તે સ્ત્રી દાનાદિ ક્રિયાજન્ય અલ્પ ફળ પ્રાપ્ત કરે છે અને અનાચારસેવનજન્ય અધિક ફળ પ્રાપ્ત કરે છે; તેમ સંવિગ્નપાક્ષિકનું પણ પ્રધાનરૂપ ધર્મમાં ચિત્ત છે, તોપણ કાયાથી અસમંજસ પ્રવૃત્તિકાળમાં પણ કંઈક ચિત્ત છે, તેથી તેઓ ધર્મના મુખ્ય ફળને પ્રાપ્ત કરે છે અને અસંયમના અલ્પ ફળને પ્રાપ્ત કરે છે. ૧૬૮૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy