SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૫૭-૧૫૮ વિપરીત માર્ગને ઉદ્દેશ છે=બતાવે છે, પણ ૩ ગો=આ ઉન્માર્ગદશક (સાધુ) સપfહ મોિ ૩ ઢોડું સ્વ-પરના અહિતરૂપ જ થાય છે. ગાથાર્થ: અને જ્ઞાનાદિને દૂષિત કરતા સાધુ વળી તેનાથી વિપરીત માર્ગને બતાવે છે, આ ઉન્માગદિશક સાધુ સ્વ-પરના અહિતરૂપ જ થાય છે. ટીકાઃ ज्ञानादीनि दूषयन् पारमार्थिकानि, तद्विपरीतं तु-पारमार्थिकज्ञानविपरीतमेवोद्दिशति मार्ग धर्मसम्बन्धिनम्, उन्मार्गदेशक एष एवम्भूतः भवत्यहित एव परमार्थेन स्वपरयोर्द्वयोरपीति गाथार्थः ટીકાર્ય : પારમાર્થિક જ્ઞાનાદિને દૂષણ કરતા, વળી તેનાથી વિપરીત જ=પારમાર્થિક જ્ઞાનથી વિપરીત જ, ધર્મસંબંધી માર્ગને ઉદ્દેશ છે=બતાવે છે, આવા પ્રકારના આ ઉન્માર્ગદશક સાધુ સ્વ-પર બંનેના પણ પરમાર્થથી અહિતરૂપ જ થાય છે. ભાવાર્થ: જે સાધુઓ ભગવાનના વચનના તાત્પર્ય જોડવાને અનુરૂપ ઉચિત ક્ષયોપશમવાળા નથી, તેઓ શાસ્ત્રવચનો, દર્શનાચારની ઉચિત ક્રિયાઓ અને ચારિત્રાચારની ઉચિત ક્રિયાઓરૂપ જે જ્ઞાનાદિ છે, તેને દૂષિત કરે છે અર્થાતુ પૂર્વના મહાપુરુષોએ જ્ઞાનાદિ ભાવો જે પ્રકારે બતાવ્યા છે તે પ્રકારના પારમાર્થિક ભાવોને “આ બરાબર નથી” એમ કહીને દૂષિત કરે છે, એ ઉન્માર્ગદશક છે. વળી કોઈ મહાત્મા પારમાર્થિક જ્ઞાનથી વિપરીત જ એવો ધર્મસંબંધી માર્ગ અન્યને બતાવે છે, એ ઉન્માર્ગદશક છે. વળી આવા સાધુઓ ઉન્માર્ગની દેશના દ્વારા ભગવાનના વચનથી વિપરીત રુચિ કરીને આત્મામાં મિથ્યા સંસ્કારો નાંખે છે, જેથી પરમાર્થથી પોતાનું અહિત થાય છે, તેમ જ બીજાને પણ માર્ગવિષયક ભ્રમ કરાવીને તેનું પણ અહિત કરે છે. આમ ઉન્માર્ગદશક સાધુ સંમોહી ભાવના કરે છે. ૧૬૫૭ અવતરણિકા: मार्गदूषकमाह - અવતરણિકાઈ: માર્ગદૂષકને કહે છે=માર્ગનું દૂષણ કરનારા સાધુના સ્વરૂપને કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy