SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૪૧ પરને ઉપતાપના ભયથી અવિષહન=સહન નહીં કરનારા, ઈર્યાદિની રક્ષા અર્થે અત્વરિત ગતિવાળા, અસંયમની અપેક્ષાથી અનુવર્તી નહીં અનુસરનારા, અલ્પ કષાયપણું હોવાથી ક્ષણમાત્ર પ્રીતિ-રોષવાળા, ધર્મની પ્રતિપત્તિ માટે ગૃહીઓના વત્સલ, ઉપકરણના અભાવમાં પરલોકનો અભાવ હોવાથી સંચયવાળા સાધુઓ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સામાન્યથી સાધુઓ કોઈ જીવને પિતાપ થાય તેમ જણાતું હોય તો, તેના કારણના પરિવારનો ઉચિત પ્રયત્ન અવશ્ય કરનારા હોય છે. આથી પોતે જ્યાં રહ્યા હોય ત્યાં કોઈને ઉપતાપ થવાનો ભય જણાય તો સાધુ તે સ્થાનને છોડીને દેશાંતર જાય છે. જેમ તાપસોની અપ્રીતિના પરિવાર અર્થે વીરભગવાને ચાતુર્માસમાં પણ વિહાર કર્યો. આ પ્રકારની સાધુઓની ઉચિત પ્રવૃત્તિ જોઈને અવિચારક ક્ષુદ્ર પ્રકૃતિવાળા કોઈ સાધુ વિચારે કે “આ સાધુઓ કોઈનો પરાભવ સહન કરતા નથી, જેથી આપણી તે પ્રકારની પ્રવૃત્તિ જોઈને તેઓએ અન્ય સ્થાને વિહાર કર્યો.” આ પ્રમાણે જે સાધુ બોલે કે વિચારે તેઓ સાધુઓનો અવર્ણવાદ કરે છે. વળી કોઈ મહાત્મા કંટકાકીર્ણ ભૂમિમાં ગમનની જેમ ઇર્યાસમિતિપૂર્વક ગમનાદિની ચેષ્ટા કરતા હોય અર્થાત્ ચક્ષુથી દેખાતા પણ જીવોનો ત્વરાને કારણે પ્રાણનાશ ન થાય તે માટે અત્યંત ઉપયોગપૂર્વક અત્વરિત ગતિથી જતા હોય, ત્યારે કોઈક અવિચારક સાધુ તે મહાત્માની ગમનની ચેષ્ટા જોઈને કહે કે “આ સાધુ મંદગામી ,” અથવા “અમે સંયમી છીએ એવું લોકોને બતાવવા માટે ધીમે ધીમે ચાલે છે એમ કહે, તો તે સાધુનો અવર્ણવાદ છે. વળી સાધુઓ અસંયમનું કારણ જણાય તો પરનું કાર્ય કરતા નથી. આથી જ સંસારી જીવો રોગાદિથી પીડાતા હોય તો ઉચિત ઔષધાદિ બતાવીને સાધુ તેઓની ચિંતા કરતા નથી, તેથી સાધુ અસંયમની અપેક્ષાએ અનનુવર્તી છે; તેને આશ્રયીને કોઈ અવિચારક સાધુ કહે કે “આ સાધુ પ્રકૃતિથી નિષ્ઠુર છે, આથી અન્ય જનોના હિતને અનુકૂળ અનુસરણ કરતા નથી, તેથી સંભવે છે કે આ સાધુ ગુરુનું પણ હિતને અનુકૂળ અનુસરણ નહીં કરતા હોય.” આ પ્રમાણે જેઓ વિચારે કે વચનપ્રયોગ કરે તેઓ સાધુઓનો અવર્ણવાદ કરે છે. વળી સાધુઓ પ્રાયઃ કોઈના પ્રત્યે પ્રીતિવાળા કે રોષવાળા હોતા નથી, છતાં અનાદિના અભ્યાસને કારણે કોઈક નિમિત્તે ક્યારેક તેમને કોઈ પ્રત્યે કંઈ પ્રીતિ થઈ જાય, તોપણ તરત જ પોતાના આત્માને સંવૃત્ત કરનારા હોય છે, તેમ જ ક્યારેક કોઈના પ્રત્યે પ્રતિકૂળ ભાવો થઈ જાય, તોપણ તરત જ પોતાના આત્માને સંવૃત્ત કરનારા હોય છે; કેમ કે સાધુ અલ્પ કષાયવાળા હોય છે; આમ છતાં તે મહાત્માની આવી પ્રવૃત્તિને જોઈને કોઈ સાધુ વિચારે કે આ “મહાત્મા ક્ષણમાત્ર પ્રીતિવાળા અને ક્ષણમાત્ર રોષવાળા છે અર્થાતુ ત્યારે જ તેમને પ્રીતિ હોય છે પછી તેમને પ્રીતિ રહેતી નથી અને ત્યારે જ તેમને રોષ હોય છે પછી તેમને રોષ રહેતો નથી.” આ પ્રમાણે બોલવું કે વિચારવું તે સાધુઓનો અવર્ણવાદ છે. વળી કોઈ મહાત્મા યોગ્ય જીવોને ધર્મની પ્રાપ્તિ થાય તદર્થે વત્સલભાવથી ગૃહસ્થો સાથે સંભાષણ કરતા હોય, પરંતુ પોતાની સાર-સંભાળ કરે તેવા કોઈ આશયથી ગૃહસ્થો પ્રત્યે વત્સલભાવવાળા ન હોય; આમ છતાં અવિચારક સાધુ તેમની ગૃહસ્થો પ્રત્યે વત્સલભાવવાળી પ્રવૃત્તિ જોઈને કહે કે “આ સાધુ ગૃહીવત્સલ છે,” તો તેવા સાધુ સાધુઓનો અવર્ણવાદ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy