SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ/ ભાવસંલેખના | ગાથા ૧૬૦૫-૧૬૦૬ ૨૮૯ દરેક પ્રવૃત્તિકાળમાં અસંગશક્તિને અનુકૂળ આત્માનો અસ્મલિત વ્યાપાર પ્રવર્તે; અને આત્માની અસંગશક્તિ અનાદિકાળથી તિરોહિત થયેલી છે, તેમ જ સંગભાવની વાસના અતિસ્થિર થયેલી છે. તેથી પાપના અકરણના દઢ સંકલ્પવાળા પણ યોગી લેશ પ્રમાદવાળા બને, તો પાપના અકરણને અભિમુખ પ્રવર્તતો તેઓનો અસંગશક્તિને અનુકૂળ વ્યાપાર શિથિલ બને છે અને સંગશક્તિ ઉલ્લસિત બને છે. તેથી સંલેખના કરનારા મહાત્મા અકરણનિયમનું શુદ્ધ ફળ પ્રાપ્ત કરાવે તેવા સૂક્ષ્મ ભાવોનું ભાવન કરે છે, જેથી તે મહાત્માના ચિત્તમાં પ્રતિક્ષણ અનશનકાળના શારીરિક વિષમ સંયોગોમાં પણ શાસ્ત્રના બળથી દેહના સંગથી પર થવા માટેનો યત્ન પ્રવર્તે. અહીં “અકરણનિયમાદિ”માં “' શબ્દથી અનુબંધના હાસનું ગ્રહણ કર્યું. તેથી એ પ્રાપ્ત થાય કે સૂક્ષ્મ પદાર્થોનું ભાવન કરવાથી જેમ આત્મામાં અકરણનિયમને અનુકૂળ વ્યાપાર થાય છે, તેમ આત્મામાં અનાદિકાળથી પડેલી સંગના પ્રવાહને ચલાવનારી સંગની વાસનાની પ્રવાહશક્તિનો પણ નાશ થાય છે. તેથી ફલિત થાય કે શાસ્ત્રવચનને અવલંબીને લક્ષ્યવેધી ઉપયોગથી શાસ્ત્રીય પદાર્થોનું ભાન કરવામાં આવે તો આત્મામાં વર્તતો અકરણનિયમ ક્ષાયિકભાવને અભિમુખ થઈને નિષ્ઠા તરફ વૃદ્ધિ પામે છે, અને સાથે સાથે સંગનો પ્રવાહ ચલાવે તેવા આત્મા પર વર્તતા સંસ્કારોનો પણ હૃાસ થાય છે. આમ સૂક્ષ્મ પદાર્થોના ભાવનથી બે કાર્યોની પ્રાપ્તિ થાય છે : (૧) સંગના સંસ્કારોનો નાશ (૨) અસંગભાવને અભિમુખ એવા ઉત્તમ સંસ્કારોનું આધાન. /૧૬૦પા. અવતરણિકા: પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સંલેખના કરનારા મહાત્મા અકરણનિયમાદિ શુદ્ધ ફળવાળા સૂક્ષ્મ ભાવોનું ભાવન કરે છે. તેથી હવે અકરણનિયમનો શ્રેષ્ઠ હેતુ શું છે? તેનું ભાવન બતાવે છે – ગાથા : परसावज्जच्चावणजोएणं तस्स जो सयं चाओ । संवेगसारगरुओ सो अकरणणियमवरहेऊ ॥१६०६॥ અન્વયાર્થ : વરસાવMવ્યાવનોui=પરના સાવદ્યના આવનના યોગથી નો સંસારનો તરૂ સર્વ વાગો જે સંવેગના સારથી ગુરુ એવો તેનો સાવદ્યનો, સ્વયં ત્યાગ છે, સો અક્ષરયિમવરદે તે અકરણનિયમનો વર હેતુ છે. ગાથાર્થ : પરના સાવધના સ્ત્રાવનના ચોગથી જે સંવેગના સારથી ગુરુ એવો સાવધનો સ્વયં ત્યાગ છે, તે અકરણનિયમનો વર હેતુ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy