SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૪૯૨-૧૪૯૩, ૧૪૯૪-૧૪૫ આની=જિનકલ્પિકની, આ સ્થિતિ પૂર્વગાથામાં બતાવી એ તીર્થવિષયક મર્યાદા, વીતરાગ વડે પ્રજ્ઞપ્ત છે=કહેવાઈ છે, પરંતુ એમાં જિનકલ્પિકની તીર્થવિષયક સ્થિતિમાં, કોઈ યુક્તિ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : તીર્થકરો તીર્થની સ્થાપના કરે છે અને તે તીર્થ વિદ્યમાન હોય ત્યારે જ કેટલાક મહાત્માઓ જિનકલ્પ સ્વીકારે છે; પરંતુ તીર્થ ઉત્પન્ન થયું ન હોય અથવા તીર્થ નાશ પામ્યું હોય, ત્યારે કોઈ જિનકલ્પ સ્વીકારતા નથી, માટે તીર્થમાં જ જિનકલ્પીઓ થાય છે. આથી જ અવસર્પિણીના છઠ્ઠા આરામાં જિનકલ્પિકો હોતાં નથી અને સુવિધિનાથ ભગવાન અને શીતલનાથ ભગવાનના તીર્થના વચ્ચેના કાળમાં અચ્છેરારૂપે તીર્થનો વિચ્છેદ થયેલો ત્યારે પણ જિનકલ્પિકો ન હતાં. અહીં પ્રશ્ન થાય કે તીર્થ ન હોય ત્યારે ધર્મની વ્યવસ્થા જ હોતી નથી, તેથી જેમ કોઈપણ ધર્મના અનુષ્ઠાન સંભવે નહીં તેમ જિનકલ્પ પણ સંભવે નહીં; છતાં તીર્થના અભાવમાં જિનકલ્પી થતા નથી, એમ કહેવાનું વિશેષ પ્રયોજન શું છે? તેથી કહે છે – તીર્થ ન હોય ત્યારે પણ જેમ જાતિસ્મરણાદિથી કોઈકને સમ્યક્ત, પ્રત્યેકબુદ્ધત્વ આદિ ભાવો થાય છે, તેમ જાતિસ્મરણાદિથી જિનકલ્પિક થતા નથી. આથી કહ્યું કે તીર્થના અભાવમાં જિનકલ્પિક થતા નથી. અહીં પ્રશ્ન થાય કે જિનકલ્પીના ગુણસ્થાન કરતા પણ અધિકતર એવા ક્ષપકશ્રેણી આદિ ગુણસ્થાન તીર્થના અભાવમાં થાય છે, તો તીર્થના અભાવમાં જિનકલ્પી કેમ થતા નથી ? કેમ કે મરુદેવી આદિ અતીર્થસિદ્ધરૂપે શાસ્ત્રમાં સંભળાય છે, તેથી તીર્થના અભાવમાં કેવલજ્ઞાનથી ન્યૂન ભૂમિકાવાળો જિનકલ્પ સ્વીકારવામાં શું બાધ છે? એથી ગ્રંથકારશ્રી કહે છે – તીર્થના અભાવમાં જિનકલ્પિક થતા નથી, એવી મર્યાદા વીતરાગ એવા ભગવાને બતાવી છે. માટે અન્ય કોઈ યુક્તિ ન હોવા છતાં વીતરાગના વચનથી જ આ મર્યાદા આ પ્રમાણે સ્વીકારવી જોઈએ. |૧૪૯૨/૧૪૯૩ અવતરણિકા: पर्यायद्वारमधिकृत्याह - અવતરણિકાળું: પર્યાયદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : परिआओ अ दुभेओ गिहिजइभेएहिं होइ णायव्वो । एक्केको य दुभेओ जहण्णओ उक्कोसओ चेव ॥१४९४॥ અન્વયાર્થ : પરિમો અને પર્યાય =જિનકલ્પિકનો વયાદિરૂપ પર્યાય, જિદિન -ગૃહી અને યતિના ભેદથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy