SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૬૨-૧૧૬૩ જિનાજ્ઞા પાળવાની બળવાન ઇચ્છા હોવા છતાં તેઓને જિનાજ્ઞાપાલનનો યત્ન કરવામાં બાધક એવા કર્મનો દોષ છે, જેને કારણે તેઓ સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવાની જિનાજ્ઞાના પાલનમાં ઉદ્યમ કરી શકતા નથી; છતાં જિનાજ્ઞાના પાલનથી થતા લાભનો તેઓને સમ્યગ્બોધ હોવાથી નિરપેક્ષ થવાની જિનાજ્ઞાના પાલનના ઉપાયરૂપે, તેઓ કટુ ઔષધાદિના સેવનથી ધીમે ધીમે રોગને શમાવવા તુલ્ય દ્રવ્યસ્તવમાં યત્ન કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે આરોગ્યથી થતા ગુણને જાણનારો રોગી આરોગ્યની ઉપાયરૂપે જેમ કટુ ઔષધાદિનું સેવન કરે છે, તેમ નિરપેક્ષ થવાની જિનાજ્ઞાના પાલનથી થતા ગુણને જાણનારા સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર જીવો કર્મદોષના અપરાધથી ભાવઆરોગ્યનો અનુભવ કરવા અસમર્થ હોવાથી ભાવઆરોગ્યના ઉપાયરૂપે દ્રવ્યસ્તવનું સેવન કરે છે. I/૧૧૬૨ અવતરણિકા: दुष्करत्वे कारणमाह - અવતરણિતાર્થ : દુષ્કરતમાં કારણને કહે છે – ભાવાર્થ: - પૂર્વગાથામાં કહ્યું કે સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવારૂપ ભગવાનની આજ્ઞાનું પાલન ભાવસાધુને છોડીને અન્ય ક્ષુદ્ર જીવ કરવા સમર્થ નથી. તેથી એ પ્રાપ્ત થયું કે જિનાજ્ઞાનું પાલન અત્યંત દુષ્કર છે. તેથી હવે ભગવાનની આજ્ઞાના પાલનના દુષ્કરપણામાં કારણને ગાથા ૧૧૮૫ સુધી કહે છે – ગાથા : जं एअं अट्ठारससीलंगसहस्सपालणं णेअं । अच्चंतभावसारं ताइं पुण होंति एआइं ॥११६३॥ અન્વયાર્થ : i-જે કારણથી જai=આ=નિરપેક્ષ આજ્ઞાનું કરણ, યંતભાવ અત્યંત ભાવસાર એવું ગટ્ટારસત્નાસપાત્ર અઢાર હજાર શીલાંગોનું પાલન શં-જાણવું. તારું પુનઃવળી તેઓ અઢાર હજાર શીલાંગો, પાડું આ=આગળમાં કહેવાશે એ, સતિ છે. ગાથાર્થ : જે કારણથી નિરપેક્ષ આજ્ઞાનું કરણ અત્યંત ભાવસાર એવું અઢાર હજાર શીલાંગોનું પાલન જાણવું. વળી અઢાર હજાર શીલાંગો હવે કહેવાશે એ છે. ટીકા? यद्-यस्माद्, एतद्-अधिकृताज्ञाकरणं अष्टादशशीलाङ्गसहस्रपालनं ज्ञेयमत्यन्तभावसारं, तानि पुनः शीलाङ्गानि भवन्त्येतानि-वक्ष्यमाणानीति गाथार्थः ॥११६३॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy