SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૩૫-૧૩૩૬ ૩૦૫ કરવાનું અને નિર્દોષ ભિક્ષા આદિના ગ્રહણ દ્વારા સર્વ સાધ્વીઓની સંયમવૃદ્ધિની ચિંતા કરીને તેઓને તે પ્રકારે સંયમના યોગોમાં પ્રવર્તાવવાનું સામર્થ્ય હોય છે. ./૧૩૩પા ગાથા : जायसमत्तविभासा बहुतरदोसा इमाण कायव्वा । सुत्ताणुसारओ खलु अहिगाइ कयं पसंगेणं ॥१३३६॥ અન્વયાર્થ : વિદુતરોસા બહુતર દોષ હોવાથી રૂમાબ-આમનેસાધ્વીઓને, સુરાપુસા સૂત્રાનુસારથી દિપડું અધિકાદિરૂપ ના સમત્તવિમાસજાત-સમાપ્તકલ્પની વિભાષા શાયત્રી કરવી. પસંvi #ાં પ્રસંગ વડે સર્યું. * “વસ્તુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : બહુતર દોષ હોવાથી સાધ્વીઓને સૂવાનુસારથી અધિકાદિરૂપ જાત-સમાપ્તકલ્પની વિભાષા કરવી. પ્રસંગ વડે સર્યું. ટીકા : जातसमाप्तविभाषा बहुतरदोषात् कारणादासां कर्त्तव्या व्रतवतीनां सूत्रानुसारतः खल्वधिकादि= द्विगुणादिरूपा, कृतं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुम इति गाथार्थः ॥१३३६॥ * “મfધતિ” અને “ક્રિાઈવરૂપ'માં રહેલ ‘ગરિ' પદથી પ્રૌઢ ઉંમરવાળા સાધ્વીનું ગ્રહણ છે, જેથી ક્યારેક આવી પડેલ વિષમ સંયોગોમાં પણ સર્વ સાધ્વીઓના શીલાદિનું રક્ષણ થઈ શકે. ટીકાર્ય : બહુતર દોષરૂપ કારણથી=શીલની રક્ષાવિષયક ઘણા દોષોની સંભાવના હોવાથી, આમને=વ્રતવતીઓને= સાધ્વીઓને, સૂત્રાનુસારથી અધિકાદિ=દ્વિગુણાદિરૂપ, જાતસમાપ્તકલ્પની વિભાષા કરવી. પ્રસંગ વડે સર્યું, પ્રકૃતિને પ્રારંભીએ છીએ=હવે અમે પ્રકૃતિની પ્રસ્તાવના કરીએ છીએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાધ્વીઓને શીલની રક્ષાવિષયક ઘણા દોષો થવાનો સંભવ હોવાને કારણે, સાધ્વીઓને સમાપ્તકલ્પ શેષકાળમાં પાંચ સાધ્વીઓથી અને ચાતુર્માસમાં સાત સાધ્વીઓથી થતો નથી, પરંતુ સૂત્ર અનુસાર સાધ્વીઓને શેષકાળમાં દશ સાધ્વીઓથી અને ચાતુર્માસમાં ચૌદ સાધ્વીઓથી સમાપ્તકલ્પ થાય છે, અને તે તે સંખ્યાથી ઓછી સંખ્યાવાળાં સાધ્વીઓ હોય, તો અસમાપ્તકલ્પ થાય છે. વળી તે સાધ્વીઓમાંથી એક સાથ્વી પણ ગીતાર્થ હોય, તો તે ગીતાર્થ સાધ્વીથી યુક્ત સાધ્વી સમુદાય જાતસમાપ્તકલ્પ કહેવાય અને એક પણ સાધ્વી ગીતાર્થ ન હોય, તો તે સાધ્વીસમુદાય અજાતસમાપ્તકલ્પ કહેવાય. આ પ્રકારે સાધ્વીઓની કલ્પવિષયક મર્યાદા જાણવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy