SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૧૮-૧૩૧૯ ૨૮૩ ટીકા? गीतार्था= श्रुतोचितागमा, कृतकरणा-अभ्यस्तक्रिया, कुलजा विशिष्टा, पारिणामिकी च उत्सर्गापवादविषयज्ञा, गम्भीरा-महाशया, चिरदीक्षिता च-दीर्घपर्याया, वृद्धा वयोऽवस्थया, आर्याऽपि= संयत्यपि प्रवर्तिनी भणिता जिनवरेन्द्रैरिति गाथार्थः ॥१३१८॥ ટીકાર્ય : ગીતાર્થ=સાંભળ્યા છે ઉચિત આગમ જેણે એવી, કૃત કરણવાળી=અભ્યાસ કરાઈ છે ક્રિયા જેણી વડે એવી, વિશિષ્ટ કુલમાં જન્મેલી અને પરિણામિકી–ઉત્સર્ગ-અપવાદના વિષયને જાણનારી, ગંભીર=મહાન આશયવાળી, અને ચિરદીક્ષિત=દીર્ઘપર્યાયવાળી, વયની અવસ્થાથી વૃદ્ધ એવી આર્યાપણ=સંયતી પણ=સાધ્વી પણ, જિનવરેન્દ્ર વડે પ્રવર્તિની કહેવાઈ છે,’ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જે સાધ્વી આચાર્ય પાસેથી ઉચિત આગમોને સાંભળીને ગીતાર્થ બન્યા હોય, સંયમના કંડકોની વૃદ્ધિનું કારણ બને તે રીતે સંયમજીવનની ક્રિયાઓ જેમણે સુઅભ્યસ્ત કરેલી હોય, વિશિષ્ટ કુલમાં ઉત્પન્ન થયેલી હોય, કયા સ્થાને ઉત્સર્ગથી પ્રવૃત્તિ કરવી ઉચિત છે ? અને કયા સ્થાને અપવાદથી પ્રવૃત્તિ કરવી ઉચિત છે ? એ રૂપ પારિણામિકી દૃષ્ટિવાળી હોય, સંયમના કંડકોની વૃદ્ધિ થાય તે પ્રકારે પોતાની શિષ્યાઓને પ્રવર્તાવવાના મહાન આશયવાળી હોય, ઘણા વર્ષો સુધી સંયમનું પાલન કરીને સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ કરવા-કરાવવામાં નિપુણ બનેલી હોય, શિષ્યાઓથી ગ્રાહ્ય બની શકે તે પ્રકારે વયથી વૃદ્ધ બનેલી હોય. આવા પ્રકારના ગુણોવાળી સાધ્વી શિષ્યાગણને સંયમના યોગોમાં પ્રવર્તન કરાવવારૂપ પ્રવર્તિનીપદ પર સ્થાપિત થવા માટે યોગ્ય છે, એ પ્રમાણે ભગવાને કહેલ છે. ll૧૩૧૮. અવતરણિકા : ગાથા ૧૩૧૬-૧૩૧૭માં ગણધરપદને યોગ્ય આચાર્યના અને ગાથા ૧૩૧૮માં પ્રવર્તિનીપદને યોગ્ય સાધ્વીના ગુણો બતાવ્યા. હવે તે ગુણોનો વિચાર કર્યા વગર જે ગુરુ, આચાર્યને અને સાધ્વીને તે તે પદ આપે તો, પદવી આપનારને અને લેનારને પ્રાપ્ત થતાં અનર્થો બતાવે છે – ગાથા : एअगुणविप्पमुक्के जो देइ गणं पवित्तिणिपयं वा । जो वि पडिच्छइ नवरं सो पावइ आणमाईणि ॥१३१९॥ અન્વયાર્થ: પગપુorવિપ્રમુ-આ ગુણોથી વિપ્રમુક્તમાંsઉપરની ત્રણ ગાથાઓમાં બતાવેલા ગુણોથી રહિત જીવમાં, નોકજે નઈi પવિત્તિનપર્થ વાકગણને કે પ્રવર્તિનીપદને રેડ્ડ આપે છે; નવાં ફક્ત (યશની ઇચ્છાથી) નો વિ પડછડું જે પણ સ્વીકારે છે, તો તે માપમાન આજ્ઞાદિને=આજ્ઞાભંગાદિ દોષોને, પાવડું પ્રાપ્ત કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy