SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ તવપરિજ્ઞા) ગાથા ૧૩૧૦ ટીકાઃ अशीलश्च न जायते नियमत एव शुद्धस्य तपसो मोक्षाङ्गभूतस्य हन्दि विषयोऽपि, यथाशक्ति चाऽतपस्वी-मोहपरतन्त्रो भावयति कथं भावनाजालं ? तत्त्वतो नैवेति गाथार्थः ॥१३१०॥ ટીકાર્ય : અને અશીલ=શીલ વગરનો જીવ, નિયમથી જ શુદ્ધ=મોક્ષના અંગભૂત, તપનો વિષય પણ થતો નથી, અને યથાશક્તિ અતપસ્વી શક્તિ પ્રમાણે તપ નહીં કરનારોત્રમોહને પરતંત્ર, કઈ રીતે ભાવનાજાલને= ભાવનાના સમૂહને, ભાવે? તત્ત્વથી નહીં જ=મોહને પરતંત્ર જીવ પરમાર્થથી ભાવનાના સમૂહને ભાવન કરી શકે નહીં જ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમ ગ્રહણ કરતી વખતે મુનિ જે પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરે છે, તે પાંચ મહાવ્રતોરૂપ શીલધર્મનું પાલન સમભાવની પરિણતિવાળા મુનિ કરી શકે છે; અને જેઓ સમભાવની પરિણતિને વહન કરવા સમર્થ નથી, તેઓ સંયમની બાહ્ય આચરણાઓ કરતા હોય, તોપણ નિયમથી જ શીલ વગરના છે; અને શીલ વગરના જીવો કદાચ બાહ્ય રીતે તપ-સ્વાધ્યાયાદિમાં ઉદ્યમ કરતા હોય, તોપણ મોક્ષના અંગભૂત તપનું સેવન કરી શકતા નથી. આશય એ છે કે જેઓ ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને સમભાવની ધુરાને વહન કરી શકે તેવા છે, તેઓ જ શીલધર્મથી ઉપરની ભૂમિકાવાળા તપધર્મને એવી શકે છે, કેમ કે શીલધર્મના સેવન દ્વારા પોતે જે દેહાદિનો પ્રતિબંધ ટાળ્યો છે, તેનાથી પણ અધિક પ્રતિબંધને ટાળવા માટે શાસ્ત્રવચનાનુસાર બાર પ્રકારના તાધર્મને સેવવા દ્વારા વિશિષ્ટ પ્રકારની નિર્લેપ પરિણતિમાં યત્ન કરવાથી વિશુદ્ધ એવા તપધર્મની પ્રાપ્તિ થાય છે; અને જેઓ સમભાવની પરિણતિને ઉલ્લસિત કરવારૂપ શીલધર્મમાં પણ ઉદ્યમ કરી શકતા ન હોય, તેઓ શીલધર્મના પાલન પછી થનારા વિશુદ્ધ તપધર્મમાં કઈ રીતે ઉદ્યમ કરી શકે? અર્થાત્ ઉદ્યમ કરી શકે નહીં. વળી, જે સાધુઓ ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા હોવાથી શીલધર્મનું પાલન કરી શકે છે, તો પણ પોતાની શક્તિઅનુસાર શુદ્ધ તપધર્મમાં ઉદ્યમ કરી શકતા નથી, તેઓ મોહને પરતંત્ર છે; કેમ કે જો તેઓ મોહને પરતંત્ર ન હોય તો, જેમ આત્માના કલ્યાણ અર્થે શક્તિના પ્રકર્ષથી શીલધર્મમાં ઉદ્યમ કરે છે, તેમ વિશેષ નિર્લેપ પરિણતિની વૃદ્ધિ કરવા અર્થે વીતરાગના વચનાનુસાર શક્તિના પ્રકર્ષથી તપધર્મમાં પણ ઉદ્યમ કરે; છતાં જેઓમાં પોતાની શક્તિ પ્રમાણે પણ તપ કરવાનું સત્ત્વ નથી, તેઓ મોહને પરતંત્ર છે. આથી તેઓ આત્માની અસંગ પરિણતિને સ્કુરાયમાન કરનારા ભાવનાના સમૂહનું ભાવન કઈ રીતે કરી શકે ? અર્થાત મનથી તે પ્રકારે ભાવનાના સમૂહને ભાવન કરતા હોય, તોપણ તત્ત્વથી વિશુદ્ધ ભાવનાને ઉલ્લસિત કરી શકતા નથી. આનાથી એ ફલિત થાય કે દાનાદિ ચારેય પ્રકારના ધર્મમાં પૂર્વ-પૂર્વના ધર્મના પાલન કરતાં ઉત્તરઉત્તરના ધર્મના પાલન માટે અધિક સત્ત્વની જરૂર છે. તેથી પૂર્વ-પૂર્વના ધર્મનું સેવન કરવાની શક્તિ જેઓમાં પ્રગટી નથી, તેઓ ઉત્તર-ઉત્તરના ધર્મનું સેવન કરવા માટે યત્ન કરી શકતા નથી, પરંતુ જેઓએ પૂર્વ-પૂર્વના ધર્મને સેવીને ઉત્તર-ઉત્તરના ધર્મસેવનની શક્તિનો સંચય કર્યો છે, તેઓ જ ઉત્તર-ઉત્તરના ધર્મને સેવીને સંસારનો શીઘ અંત કરી શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy