SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૯૦ ર૫૩ ટીકા : तदेवं सन्न्यायो विशेषवचनतो न बुधेन अस्थानस्थापनया वचनान्तरे नियोगेन सदा लघुः कर्त्तव्यः, कथमित्याह-चाशपञ्चाशन्यायेन-असम्भविनोऽसम्भवेनेति गाथार्थः ॥१२९७॥ ટીકાર્ય : તે કારણથી=પૂર્વગાથામાં કહ્યું એ મુજબ વચનાંતરના ગુણો સામાન્ય વચનમાં ક્યારેય પણ હોતા નથી તે કારણથી, આ રીતે-ગાથા ૧૨૨૯માં કહેલ કે દ્રવ્યસ્તવીય હિંસાને અદોષકારી માનો તો યાગીય હિંસાને પણ અદોષકારી માનવી પડશે એ રીતે, અસ્થાનમાં સ્થાપના વડે–વચનાંતરમાં નિયોગ વડે=સર્વજ્ઞવચનથી અન્ય એવા વેદવચનથી વિહિત એવી યાગીય હિંસામાં યોજન વડે, બુધ પુરુષે સદા સત્યાય=દ્રવ્યસ્તવીય હિંસામાં અદોષાદિ છે એ રૂપ સદ્ભક્તિ, લઘુ કરવો જોઈએ નહીં. દ્રવ્યસ્તવને કહેનારા વચનને સન્યાય કેમ કહ્યો? તેમાં હેતુ આપે છે – વિશેષ વચન છે=સર્વજ્ઞથી કહેવાયેલ હોવાને કારણે દ્રવ્યસ્તવને કહેનારું વચન અન્ય વચનો કરતાં વિશેષ વચન છે. કઈ રીતે ?=સન્યાયને કઈ રીતે લઘુ કરવો જોઈએ નહીં? એથી કહે છે – ચાશ-પંચાશ ન્યાય વડે અસંભવીથી અસંભવ વડે=દ્રવ્યસ્તવીય હિંસામાં નહીં સંભવનારા દોષથી યાગીય હિંસામાં દોષના અસંભવ વડે, સદ્ન્યાય બુધ પુરુષે લઘુ કરવો જોઈએ નહીં, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે રત્નના ગુણો અરત્નમાં ક્યારેય પણ હોતા નથી, તેમ સર્વજ્ઞવચનના ગુણો સર્વજ્ઞથી નહીં કહેવાયેલ એવા વેદવચનમાં ક્યારેય પણ હોઈ શકે નહીં. તે કારણથી “દ્રવ્યસ્તવમાં થતી હિંસા જો દોષકારી ન હોય તો યજ્ઞમાં થતી હિંસા પણ દોષકારી નથી એમ માનવું પડે એવી ગાથા ૧૨૨૯માં પૂર્વપક્ષીએ શંકા કરેલ, એ રીતે દ્રવ્યસ્તવમાં થતી હિંસામાં અદોષાદિ છે એ રૂપ સદ્ભક્તિને, અસર્વજ્ઞવચનરૂપ અસ્થાનમાં યોજવા વડે, પંડિત પુરુષે સદા સદ્ન્યાય લઘુ કરવો જોઈએ નહીં. આશય એ છે કે સર્વજ્ઞવચન પરિપૂર્ણ શુદ્ધ છે, તેમ જ યુક્તિ અને અનુભવને અનુસરનારું છે. આથી તેવા સર્વજ્ઞવચન અનુસારે કરાતા દ્રવ્યસ્તવમાં જે હિંસા થાય છે તેમાં અદોષાદિ છે; પરંતુ તેનું અવલંબન લઈને, સર્વજ્ઞથી નહીં કહેવાયેલ એવા વેદવચન અનુસાર સ્વર્ગની ઇચ્છાથી કરાતા યજ્ઞમાં થતી હિંસામાં અદોષાદિનું સ્થાપન કરીને, બુધ પુરુષે સન્યાયને સદા હલકો કરવો જોઈએ નહીં. વળી સન્યાયને કઈ રીતે લઘુ કરવો જોઈએ નહીં? તે યુક્તિથી બતાવતાં કહે છે કે ચાસ-પચાશ ન્યાય વડે અર્થાત્ અસંભવીથી અસંભવ વડે, અસ્થાને સ્થાપીને બુધ પુરુષે સન્યાય સદા લઘુ કરવો જોઈએ નહીં. આશય એ છે કે સર્વજ્ઞવચન અનુસારે કરાતા દ્રવ્યસ્તવમાં થતી હિંસામાં દોષ અસંભવી છે, અને તે અસંભવી દોષથી વેદવચન અનુસારે કરાતા યજ્ઞમાં થતી હિંસામાં પણ દોષના અસંભવના સ્થાપન વડે બુધ પુરુષે સંન્યાય સદા લઘુ કરવો જોઈએ નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy