SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૯૧-૧૨૯૨ ૨૪૧ तस्य-आगमार्थस्य प्रयोगोऽप्येवं-व्यामोह एव, अनिवारणं च नियमेन व्यामोह एवेति गाथार्थः ॥१२९१॥ * “ો વિ''માં “પિ'થી એ સમુચ્ચય કરવો છે કે વૈદિક આચાર્યને તત્ત્વ કહેવા, તે તો વ્યામોહ છે, પરંતુ વૈદિક આચાર્યથી કરાતી વ્યાખ્યારૂપ આગમ, તે પણ વ્યામોહ જ છે. * “ો વિ'માં ‘મપિ'થી એ સમુચ્ચય કરવો છે કે વૈદિક આચાર્યથી કરાતી વ્યાખ્યારૂપ આગમ તો વ્યામોહ છે, પરંતુ તે વ્યાખ્યારૂપ આગમના અર્થનો પ્રયોગ પણ વ્યામોહ જ છે. ટીકાર્થ : અને તેનાથી-વૈદિક આચાર્યથી, વિનેયસત્ત્વોના શિષ્યલોકના, સંબંધવાળો જે વ્યાખ્યારૂપ આગમ, તે પણ આમ જ છે=વ્યામોહ જ છે, તેનો આગમના અર્થનો, પ્રયોગ પણ આચરણ પણ, આમ છે=વ્યામોહ જ છે, અને અનિવારણ=વેદવચનના અર્થઅનુસાર થતા આચરણનું અનિવારણ, નિયમથી વ્યામોહ જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે વેદવચનથી ક્યારેય કોઈને કોઈ વસ્તુમાં નિર્ણય થયો નથી, છતાં વેદને માનનારાઓ કહે છે કે વૈદિક આચાર્ય પ્રમાણ છે, તેને ગ્રંથકાર કહે છે કે આ પ્રકારનું તેઓનું કથન વ્યામોહવાળું છે. વળી જેમ વૈદિક આચાર્યને તેઓ પ્રમાણ કહે છે, તે તેમનો વ્યામોહ છે, તેમ તે વૈદિક આચાર્ય પોતાના શિષ્યો આગળ જે વેદવચનના અર્થોનું વ્યાખ્યાન કરે છે, તે પણ તેમનો વ્યામોહ જ છે; કેમ કે વૈદિક આચાર્યને જ નિર્ણય નથી કે આ પ્રકારના યજ્ઞાદિથી સ્વર્ગાદિ પ્રાપ્ત થશે કે નહિ? તોપણ તેઓ પોતાના શિષ્યો આગળ વેદવચનના અર્થોનું તે પ્રકારે વ્યાખ્યાન કરે છે, અને અનિર્ણાત અર્થોનું વ્યાખ્યાન કરવું તે વ્યામોહ છે. વળી વેદવચનના અર્થો પ્રમાણે શિષ્યો જે પ્રવૃત્તિ કરે છે, તે પણ તેમનો વ્યામોહ જ છે; કેમ કે જે વચનથી અર્થનો નિર્ણય ન થતો હોય, તે વચન અનુસાર પ્રવૃત્તિ વિચારક પુરુષો કરતાં નથી. વળી, અનિર્ણાત અર્થોવાળા વચન અનુસાર શિષ્યો પ્રવૃત્તિ કરતા હોય અને તે પ્રવૃત્તિનું નિવારણ કરવામાં ન આવે, તો તે પણ વ્યામોહ જ છે; કેમ કે અનિર્ણાત અર્થો અનુસાર પ્રવૃત્તિ કરવામાં હિતની પ્રાપ્તિનો સંદેહ હોય છે, તેથી વિચારક પુરુષ કોઈ પ્રવૃત્તિ કરતાં પહેલાં આનાથી હિત થશે કે નહીં? તેનો નિર્ણય કરીને જ પ્રવૃત્તિ કરે છે. આથી અનિર્ણાત એવા વેદવચનના અર્થઅનુસાર પ્રવૃત્તિ કરવામાં અહિતની સંભાવના હોવાથી, યોગ્ય જીવોના હિતના અર્થી ગુરુ અવશ્ય તેઓની તે પ્રવૃત્તિનું નિવારણ કરે; અને જો ગુરુ તે અનુચિત પ્રવૃત્તિનું નિવારણ ન કરે, તો તે પણ નક્કી વ્યામોહ જ છે. ૧૨૯૧II ગાથા : णेवं परंपराए माणं एत्थ गुरुसंपयाओ वि। रूवविसेसट्ठवणे जह जच्चंधाण सव्वेसि ॥१२९२॥ અન્વયાર્થ: સ્થ અહીં= યજ્ઞથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે' ઇત્યાદિ કથનમાં, આ રીતે=વેદવચનથી વૈદિક આચાર્યને કોઈ વસ્તુમાં નિર્ણય થયો નથી માટે વૈદિક આચાર્ય પ્રમાણ નથી એમ પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy