SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ याकिनीमहत्तराधर्मपुत्र - सुगृहीतनामधेय - श्रीहरिभद्रसूरिविरचितः स्वोपज्ञशिष्यहिताव्याख्यासमेतः 'श्रीपञ्चवस्तुकग्रन्थः” * चतुर्थम् अनुयोगगणानुज्ञावस्तुकम् * * સ્તવપરિજ્ઞા અવતરણિકા : ગાથા ૯૫૨થી ૯૬૫માં બતાવી એ વિધિપૂર્વક ધીર એવા ગુરુ યોગ્ય શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપે છે, અને તે અભિનવ આચાર્ય ગાથા ૯૬૬માં બતાવ્યા પ્રમાણે શક્તિ અનુસાર નંદીસૂત્ર આદિનું અથવા પર્ષદાને જાણીને યોગ્ય એવા અન્ય પણ શ્રુતનું વ્યાખ્યાન કરે છે. ત્યારપછી ગાથા ૯૭૩માં કહ્યું કે હંમેશાં પ્રવચનના કાર્યમાં ઉદ્યમવાળા આ આચાર્ય યોગ્ય શિષ્યોને વ્યાખ્યાન કરે. તેથી ગાથા ૯૭૪થી યોગ્ય શિષ્યોની વિચારણા શરૂ કરી. ત્યારપછી ગાથા ૧૦૦૧માં ઉપસંહાર કરતાં ગ્રંથકારે કહ્યું કે દુઃષમા કાળમાં આચાર્યએ આજ્ઞાકરણમાં અમૂઢલક્ષવાળા થઈને શક્તિથી ઉપસંપદાદિમાં યત્ન કરવો જોઈએ, અને વ્યાખ્યાનકરણમાં આ વિધિ છે. તેથી ગાથા ૧૦૦૨થી વ્યાખ્યાનકરણમાં કરવા યોગ્ય વિધિ બતાવવાનો પ્રારંભ કર્યો. ત્યારપછી આચાર્ય વ્યાખ્યાન શેનું કરે ? એ વ્યાખ્યેયને ગાથા ૧૦૧૯-૧૦૨૦માં બતાવતાં કહ્યું કે આચાર્ય નંદી આદિનું વ્યાખ્યાન કરે, અથવા યોગ્યતર શિષ્યોને જાણીને દૃષ્ટિવાદાદિનું વ્યાખ્યાન કરે, અથવા દૃષ્ટિવાદાદિમાંથી નિર્મૂઢ એવા શેષ શ્રુતનું વ્યાખ્યાન કરે. તેથી જિજ્ઞાસા થાય કે દૃષ્ટિવાદાદિમાંથી નિર્વ્યૂઢ શ્રુત કેવું હોય ? તે જણાવવા અર્થે ગાથા ૧૦૨૧માં નિર્વ્યઢનું લક્ષણ બતાવતાં કહ્યું કે ગ્રંથરૂપ એવા જેમાં કષ-છેદ-તાપથી પરિશુદ્ધ એવો પારમાર્થિક ધર્મવિશેષ કહેવાયો હોય, એ ગ્રંથ નિર્મૂઢ છે, અને તે નિર્મૂઢ ગ્રંથ ઉત્તમશ્રુતાદિ છે અને તે ઉત્તમશ્રુત સ્તવપરિશા વગેરે છે. ॐ ह्रीँ अर्हं नमः । ॐ श्रीशङ्खेश्वरपार्श्वनाथाय नमः । મૈં નમઃ । re Jain Education International આથી જિજ્ઞાસા થઈ કે કષ-છેદ-તાપ શું છે ? તેથી ગાથા ૧૦૨૨થી પ્રારંભીને અત્યાર સુધી કષાદિનું વિસ્તારથી સ્વરૂપ બતાવ્યું, અને છેલ્લે ગાથા ૧૧૧૦માં તે સર્વનું નિગમન કરતાં ગ્રંથકારે કહ્યું કે આવા પ્રકારની આદિવાળો ભાવવાદ જે આગમમાં કહેવાયો હોય તે આગમ તાપશુદ્ધ છે; અને આ તાપશુદ્ધ આગમ જ ઉપાદેય છે. તેથી એ ફલિત થયું કે અનુયોગી આચાર્યએ કષ-છેદ-તાપથી શુદ્ધ એવા નંદી આદિનું કે દૃષ્ટિવાદાદિનું કે નિર્મૂઢ એવા શેષ શ્રુતનું વ્યાખ્યાન કરવું જોઈએ. '' For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy