SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૯૮ ઉમૂલન કરવાની વિશિષ્ટ મનોવૃત્તિરૂપ વિશિષ્ટ લેગ્યા હોય છે. અને આવા વિશિષ્ટ વેશ્યાવાળા સાધુને જોઈને વિશિષ્ટ લેગ્યાનો જાણકાર “આ ભાવસાધુ છે એમ નિર્ણય કરી શકે છે. અને તે સાધુ પોતે પણ મારામાં વિશિષ્ટ વેશ્યા છે કે નહીં? તે નક્કી કરીને પોતે ભાવસાધુ છે કે નહીં? તેનો નિર્ણય કરી શકે છે. છેદ પરીક્ષા : વળી, સુવર્ણને કસોટી પથ્થર ઉપર ઘસવાથી બહારથી સુવર્ણનો નિર્ણય થવા છતાં અંદરથી પૂર્ણ સુવર્ણ છે કે નહીં તેનો નિર્ણય કરવા અર્થે, જેમ સુવર્ણનો પરીક્ષક તે સુવર્ણનો છેદ કરીને “આ અંદરથી પણ સુવર્ણ જ છે' તેવો નિર્ણય કરી શકે છે; તેમ સાધુ જ્યારે વિશિષ્ટ લેશ્યાવાળા હોય ત્યારે તો તે ભાવસાધુ છે, પરંતુ આ વિશિષ્ટ વેશ્યા જેમના જીવનમાં એકમેક રીતે સદા વણાઈ ગઈ હોય તે સાધુની સંયમની સર્વ પ્રવૃત્તિઓ સદા વિશિષ્ટ વેશ્યાથી યુક્ત હોય છે. આથી જેમ સાચા સુવર્ણમાં ઉપરથી અને અંદરથી એકસારરૂપે સુવર્ણ વણાયેલું હોય છે, તેમ ભાવસાધુના સંપૂર્ણ સંયમજીવનમાં વિશિષ્ટ વેશ્યા એકસારરૂપે વણાયેલી હોય છે. માટે આવા વિશિષ્ટ વેશ્યાવાળા સાધુને જોવાથી ઉપરથી ભાવસાધુનો નિર્ણય થવા છતાં પૂર્ણ ભાવસાધુ છે કે નહીં? તેનો નિર્ણય કરવા અર્થે વિશિષ્ટ વેશ્યાનો જાણકાર પુરુષ તે ભાવસાધુમાં તે પ્રકારનું એકસારપણું જોઈને “આ અંદરથી પણ ભાવસાધુ જ છે તેવો નિર્ણય કરી શકે છે. અને તે સાધુ પોતે પણ મારામાં વિશિષ્ટ લેશ્યા સદા વર્તે છે કે નહીં? તે નક્કી કરીને પોતે સદા ભાવસાધુપણાથી યુક્ત છે કે નહીં? તેનો નિર્ણય કરી શકે છે; અને વિશિષ્ટ વેશ્યા પોતાનામાં ક્યારેક ક્યારેક વર્તતી હોય તો પોતે કોઈક કોઈક સ્થાનમાં ભાવસાધુપણાથી યુક્ત છે તેમ પણ નિર્ણય કરી શકે છે. અહીં વિશેષ એ છે કે જે સાધુ હંમેશાં ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરતા હોય, છતાં અનાદિભવઅભ્યસ્ત પ્રમાદને કારણે સંયમયોગોના યત્નમાં ક્યારેક તેઓની અલના પણ થતી હોય, તોપણ તેઓની વિશિષ્ટ લેગ્યા નાશ ન પામી હોવાથી અલનાનું સ્મરણ કરીને તેઓ તે સ્કૂલનાની આલોચનાદિ દ્વારા શુદ્ધિ કરતા હોય, તેવા સાધુ કષપરીક્ષાથી શુદ્ધ છે અને છેદપરીક્ષાથી અતિચારની અપેક્ષાએ અશુદ્ધ હોવા છતાં પાછળથી અતિચારોનું શોધન કરેલ હોવાથી શુદ્ધ છે; અને જે સાધુ સંયમની પ્રવૃત્તિ કરતાં થયેલી સ્કૂલનાનું સમાલોચન કરીને તે અલનાની આલોચનાદિ દ્વારા શુદ્ધિ કરતા નથી, તે સાધુ અતિચારના સેવન પૂર્વે વિશિષ્ટ વેશ્યાવાળા હોય, તો કષપરીક્ષાથી શુદ્ધ છે પરંતુ છેદપરીક્ષાથી શુદ્ધ નથી. તાપ અને તાડના પરીક્ષા : વળી, સુવર્ણને કસવાથી અને છેદવાથી ‘આ સુવર્ણ જ છે એમ નિર્ણય થાય છે, છતાં તે સુવર્ણમાં એકબે ટકા પણ અન્ય ધાતુ નથી તેનો નિર્ણય કરવા પરીક્ષક પુરુષ સુવર્ણને તપાવીને નરમ થયેલા સુવર્ણ ઉપર તાડન કરે છે, જે તાપ અને તાડનથી “આ સંપૂર્ણ શુદ્ધ સુવર્ણ છે' એવો નિર્ણય થઈ શકે છે; તેમ જે સાધુનો કોઈએ અપકાર ન કર્યો હોય અથવા જેઓ વિષમ સ્થિતિમાં મુકાયા ન હોય ત્યારે તો વિશિષ્ટ વેશ્યાવાળા હોય છે, પરંતુ જ્યારે કોઈએ તેમનો અપકાર કર્યો હોય ત્યારે પણ જે સાધુ વિચારે કે “હું શું કરું કે જેથી મારા ઉપર અપકાર કરનાર આ જીવનું હિત થાય?” અને આવું વિચારીને શક્ય હોય તો તે જીવના હિતને અનુકૂળ ઉચિત યત્ન કરે છે, અને અશક્ય હોય તો તે અપકારી જીવ ઉપર અનુકંપાના પરિણામને ધારણ કરે છે; અથવા ક્યારેક પોતાના ઉપર કોઈ સંકટ આવ્યું હોય ત્યારે પણ જેઓ ભગવાનની આજ્ઞાના સ્મરણપૂર્વક સંયમયોગોમાં અપ્રમાદભાવથી યત્ન કરીને અસંગભાવને અભિમુખ જવા અર્થે સમભાવની વૃદ્ધિને અનુકૂળ યત્ન કરે છે, તેવા સાધુ સો ટચના સુવર્ણ જેવા સંપૂર્ણ ભાવસાધુ છે, એવો નિર્ણય થઈ શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy