SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ၄ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૮૯-૯૯૦ કોઈ ગુરુ પાસે ઉપસંપદા સામાચારી સ્વીકારવા માટે ગયેલ હોય, એવા શિષ્યની, અને જેમણે તે શિષ્યને ભણાવવા માટે નિશ્રા આપેલ હોય એવા અન્ય ગુરુની પ્રવૃત્તિમાં, શું મર્યાદા છે? તે બતાવે છે – ગાથા : संदिट्ठो संदिगुस्स अंतिए तत्थ मिह परिच्छा उ। साहुअमग्गे चोअण तिगुवरि गुरुसम्मए चागो ॥९८९॥ અન્વયાર્થ: વિઠ્ઠો વિરસ તિ=સંદિષ્ટ એવો સંદિષ્ટની અંતિકમાં (ઉપસંપદા સ્વીકારે.) તત્ત્વ =વળી ત્યાં દિપરિચ્છી મિથ =આગંતુક અને ગુરુની વચ્ચે પરસ્પર, પરીક્ષા થાય છે. સહુકમો સાધુઓનું અમાર્ગમાં વોઝUT=ચોદન, તિગુવકિત્રિક ઉપર (ગુરુને કથન), ગુરુHE=ગુરુને સંમત હોતે છતે વાગો ત્યાગ. ગાથાર્થ : ગુરુ વડે આદેશ અપાયેલો શિષ્ય આદેશ અપાયેલા ગુરની પાસે ઉપસંપદા સ્વીકારે. વળી ત્યાં આગંતુક શિષ્ય અને સંદિષ્ટ ગુરુ વચ્ચે પરીક્ષા થાય છે. પરીક્ષામાં ઉપસંપદા સવીકારેલ શિષ્ય સંદિષ્ટ ગુરુના શિષ્યો અમાર્ગમાં હોય તો તેઓને સન્માર્ગમાં પ્રેરે, ત્રણ વાર પ્રેરવા છતાં તેઓ અમાર્ગનો ત્યાગ ન કરે, તો તે શિષ્યોની અમાર્ગમાં પ્રવૃત્તિ તેઓના ગુરને કહે, અને ગરને પોતાના શિષ્યોની અમાર્ગમાં પ્રવૃત્તિ સંમત હોય તો ઉપસંપદા સ્વીકારનાર શિષ્ય તે ગુરુનો ત્યાગ કરે. ટીકાઃ सन्दिष्टः सन् गुरुणा सन्दिष्टस्य गुरोः समीपे उपसम्पद्यतेति वाक्यशेषः, तत्र मिथ:=परस्परं परीक्षा भवति तयोः, साधूनाममार्गे चोदनं करोत्यागन्तुकः, मिथ्यादुष्कृतादाने त्रयाणां वाराणामुपरि गुरुकथनं, तत्सम्मते शीतलतया त्यागः, असम्मते निवासः, तेषामपि तं प्रति अयमेव न्याय इति गाथार्थः ॥९८९॥ ટીકાર્ય : ગુરુ દ્વારા સંદેશાયેલો છતો=આજ્ઞા અપાયેલો છતો શિષ્ય, સંદેશાયેલા ગુરુની સમીપમાં ઉપસંપદા સ્વીકારે. ત્યાં મિથ=પરસ્પર, તે બેની આગંતુક શિષ્યની અને સંદિષ્ટ ગુરુની, પરીક્ષા થાય છે. તેમાં આગંતુકે કરવાની પરીક્ષા બતાવે છે – આગંતુક=બીજા સમુદાયમાંથી આવનાર શિષ્ય, સાધુઓને અમાર્ગમાં ચોદન કરે છે. ત્રણ વારની ઉપર મિથ્યાદુષ્કતના અદાનમાં ગુરુને કથન કરે છે. તેમાં સંમત હોતે છતે સંદિષ્ટ ગુરુ પોતાના શિષ્યો દ્વારા કરાતા પ્રમાદના આચરણમાં સંમત હોતે છતે, શીતલતાને કારણે ત્યાગ છે=સંદિષ્ટ ગુરુ શિથિલાચારી હોવાને કારણે આગંતુક શિષ્ય તેમનો ત્યાગ કરે છે. અસંમત હોતે છતે નિવાસ છે=પોતાના શિષ્યો દ્વારા કરાતા પ્રમાદના આચરણમાં સંદિષ્ટ ગુરુ સંમત નહીં હોતે છતે આગંતુક શિષ્ય ત્યાં રહે છે. તેઓનો પણ તેના પ્રતિ આ જ ન્યાય છે=સંદિષ્ટ ગુરુના શિષ્યોનો પણ આગંતુક શિષ્ય પ્રત્યે ઉપરમાં બતાવ્યો એ જ જાય છે, અર્થાત્ અમાર્ગમાં રહેલ આગંતુક શિષ્યને સંદિષ્ટ ગુરુના શિષ્યો ચોદન કરે છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005512
Book TitlePanchvastuk Prakaran Part 05
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy