SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૮-૧૦૯૯ fમન્નદવે,મિ અને ભિન્નકૃતનું વદન હોતે છતે ભિન્ન શરીરથી કરાયેલા કર્મનો ભિન્ન શરીરને ભોગ હોતે છતે, વત્ના બળથી=બળાત્કારે, મરૂપ્રસંગો દોડું અતિપ્રસંગ થાય અતિપ્રસંગદોષ પ્રાપ્ત થાય. ગાથાર્થ : આ ભવમાં પ્રાણવધની આસેવનાથી શરીર વડે જે કર્મ કરાયું, ખરેખર વિવિધ વિપાકવાળું તે કર્મ જીવ ભવાંતરમાં ભોગવે છે; પરંતુ જે શરીર વડે કર્મ કરાયું તે જ શરીર તે કર્મ ભોગવતું નથી; કેમ કે નરકાદિમાં શરીરનો જે પ્રકારે આ ભવમાં ભાવ છે તે પ્રકારના શરીરનો અભાવ છે. અહીં પ્રશ્ન થાય કે જે શરીરે કર્મ કર્યું તેનાથી અન્ય શરીર પરભવમાં તે કર્મનું ફળ ભોગવે છે, એમ માનીએ તો શું વાંધો ? એથી કહે છે – અને ભિન્ન શરીરથી કરાયેલા કર્મનો ભિન્ન શરીરને ભોગ હોતે છતે બળાત્કારે અતિપ્રસંગદોષ પ્રાપ્ત થાય, ટીકાઃ ___अत्र शरीरेण कृतं, कथमित्याह-प्राणवधासेवनया हेतुभूतया यत् कर्म तत् खलु चित्रविपाकं सद्वेदयते भवान्तरे अन्यजन्मान्तरे जीव इति गाथार्थः ॥१०९८॥ ___ न तु तदेव शरीरं येन कृतमिति, कुत इत्याह-नरकादिषु तस्य-शरीरस्य तथाऽभावादिति, भिन्नकृतवेदने चाऽभ्युपगम्यमानेऽतिप्रसङ्गोऽनवस्थारूप: बलाद् भवतीति गाथार्थः ॥१०९९॥ ટીકાર્ય : अत्र हेतुभूतया प्राणवधासेवनया शरीरेण यत् कर्म कृतं चित्रविपाकं खलु सत् तत् जीवः મવાન્તરે ૩ ચેનનારે વેજો, અહીં=આ ભવમાં, હેતુભૂત એવી પ્રાણવધની આસેવનાથી=કર્મબંધમાં કારણભૂત એવી પ્રાણના નાશની આચરણાથી, શરીર વડે જે કર્મ કરાયું, ખરેખર ચિત્ર વિપાકવાળું છતું તે કર્મ જીવ ભવાંતરમાં=અન્ય જન્માંતરમાં=બીજા ભવમાં, વેદન કરે છે–અનુભવે છે, રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. ઘેર તુ વૃત્ત તવ શરીર , પરંતુ જેના વડે કરાયું તે જ શરીર નથી=જે શરીર વડે કર્મ કરાયું તે જ શરીર કર્મનું ફળ અનુભવતી વખતે વિદ્યમાન નથી; યુતિઃ ? ત્યાદ- કયા કારણથી તે જ શરીર નથી? એથી હેતુને કહે છે – નરવિપુતચ-શરીર તથાડવા નરકાદિમાં તેનોશરીરનો, તે પ્રકારનો અભાવ છે=જે પ્રકારના શરીર વડે કર્મ કરાયું તે પ્રકારના શરીરનો અભાવ છે; તિ એથી કરીને, શરીર વડે કરાયેલું કર્મ ભવાંતરમાં જીવ અનુભવે છે, એમ અન્વય છે. ગાથા ૧૦૯૮ અને ગાથા ૧૦૯૯ના પૂર્વાર્ધથી ગ્રંથકારે સ્થાપન કર્યું કે શરીરકૃત કર્મ ભવાંતરમાં જીવ ભોગવે છે, પરંતુ જે શરીરે કર્યું તે શરીર ભોગવતું નથી. ત્યાં કોઈ કહે કે આ ભવમાં જે શરીરે કર્મ કર્યું તે શરીરથી અન્ય શરીર ભવાંતરમાં તે કર્મનું ફળ અનુભવે છે, એમ માનીએ તો શું વાંધો ? એથી કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005512
Book TitlePanchvastuk Prakaran Part 05
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy