SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૬૦ નોંધ : ટીકામાં નાવિક ર છે તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે વિચૈવ હોવું જોઈએ. ટીકાર્ય : યત્ જે કારણથી તદ્મ વ્યત્વે તે=ભવ્યત્વ, અનાલિસ્વરૂપ વત્તે અનાદિસ્વરૂપવાળું વર્તે છે, અનાલિત્ ચૈવ તત્ મિ િઅને અનાદિમાન એવું જ તે=ભવ્યત્વ, એક જ છે, તુ પરંતુ પ્રારંવત્ જ પ્રકારવાળું નથી. તઃ તસ્ય ભવ્યત્વી સ=૩૫ત્રમાદ્રિરૂપ: ચીયસાધિત તથામાવોfપ માત્મમૂત: આથી તેનો= ભવ્યત્વનો, તે=ઉપક્રમણાદિરૂપ, ન્યાયસાધિત=યુક્તિસિદ્ધ, એવો તથાભાવ પણ આત્મભૂત છે. આત્મભૂત કેમ છે? એથી કહે છે – વો ....નાથાર્થ સ્વ=નિજ, એવો ભાવ સ્વભાવ છે, જેથી કરીને આત્મભૂત છે, એમ અન્વય છે. આથી મારો પક્ષ ઈષ્ટ જ છે=પૂર્વપક્ષી વડે સ્વીકારાયો જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું એ પ્રમાણે અભવ્ય જીવોને મોક્ષપ્રાપ્તિના દોષના નિવારણ માટે જો પૂર્વપક્ષી કહે કે કર્માદિ દ્વારા ભવ્યત્વમાં ઉપક્રમણાદિ થતું નથી, તેથી ભવ્યત્વમાં કર્માદિ કંઈ પરિવર્તન કરી શકતા નથી, પરંતુ ભવ્યત્વ પોતે જ ઉપક્રમણાદિ સ્વરૂપવાળું છે, માટે ભવ્યત્વના પોતાના ઉપક્રમણાદિથી ભવ્ય જીવો મોક્ષમાં જાય છે, એમ સ્થાપન થયું. - હવે ગ્રંથકાર યુક્તિથી બતાવે છે કે ભવ્યત્વનો તે તે પ્રકારે ઉપક્રમણાદિ પામવાનો સ્વભાવ છે, તેથી દરેક જીવનું ભવ્યત્વ કથંચિત્ ભિન્ન ભિન્ન સિદ્ધ થવાથી પોતાનો પક્ષ જ સ્વીકૃત થાય છે. તે જ સ્પષ્ટ કરે જે કારણથી જીવમાં રહેલું ભવ્યત્વ અનાદિસ્વરૂપવાળું વર્તે છે; કેમ કે જીવ અનાદિનો છે, તેથી જીવનું મોક્ષમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વ પણ અનાદિનું છે. અહીં કોઈને શંકા થાય કે જીવમાં સિદ્ધિગમનની યોગ્યતારૂપ ભવ્યત્વ જુદું છે, અને તે તે કાળમાં સમ્યક્તાદિ ભાવોની પ્રાપ્તિરૂપ ભવ્યત્વ જુદું છે, તેથી ભવ્યત્વ અનેક પ્રકારનું છે; વળી જે ભવ્યત્વ જે કાળમાં સમ્યક્તાદિની પ્રાપ્તિનું કારણ હોય, તે ભવ્યત્વથી તે કાળમાં જીવ સમ્યક્તાદિ ભાવો પ્રાપ્ત કરે છે, અને સિદ્ધિગમનની યોગ્યતારૂપ ભવ્યત્વથી જીવ મોક્ષે જાય છે. માટે સર્વ જીવોનું ભવ્યત્વ સમાન સ્વીકારવા છતાં સમ્યક્તાદિ ભાવોની પ્રાપ્તિ ભિન્ન ભિન્ન કાળ વગેરેમાં ભિન્ન ભિન્ન પ્રકારના ભવ્યત્વથી થાય છે, તેથી દરેક જીવના સિદ્ધિગમનના યોગ્યત્વરૂપ ભવ્યત્વને ભિન્ન ભિન્ન માનવાની જરૂર રહેશે નહીં અર્થાત જે જે જીવના ભવ્યત્વનો જે જે પ્રકારે પરિપાકાદિ થાય છે, તે તે પ્રકારનું તે તે જીવનું ભવ્યત્વ છે, માટે દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન ભિન્ન સ્વભાવવાળું છે, તેમ માનવાની જરૂર રહેશે નહીં. તેના નિરાકરણ અર્થે ગ્રંથકાર કહે છે – અનાદિમાન એવું ભવ્યત્વ એક જ છે, અનેક પ્રકારવાળું નથી અર્થાત્ દરેક જીવમાં વર્તતું સિદ્ધિગમનને યોગ્યત્વરૂપ ભવ્યત્વ એક જ છે, પરંતુ મોક્ષગમનને યોગ્યત્વરૂપ ભવ્યત્વ જુદું છે અને તે તે કાળાદિમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005512
Book TitlePanchvastuk Prakaran Part 05
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy