SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ GS અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ! “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૯-૧૦૧૦ भावप्रतिबन्धः, ईप्सितसूत्रार्थानां विचित्राणां क्षिप्रं पारं समुपयान्ति, अनेनैव विधिना कर्मक्षयोपपत्तेरिति પથાર્થ: ૨૦૦ ટીકાર્ય : ગુરુના પરિતોષથી ગત વડેeગુરુના પરિતોષથી ઉત્પન્ન થયેલ વડેeગુરુના સંતોષથી પેદા થયેલ શ્રવણ વડે, ગુરુની ભક્તિ વડે, તે રીતે જ વિનય વડે, વિચિત્ર એવા ઇસિત સૂત્રાર્થોના=ઈચ્છાયેલ અનેક સૂત્રોના અર્થોના, પારને જલદી પામે છે; કેમ કે આ જ વિધિથી કર્મના ક્ષયની ઉપપત્તિ છે=ગાથા ૧૦૦૭-૧૦૦૮માં કહેવાઈ એ જ વિધિથી વ્યાખ્યાનશ્રવણની ક્રિયામાં કર્મના ક્ષયની પ્રાપ્તિ છે. ભક્તિ એટલે ઉપચાર=વિનયને અનુકૂળ બાહ્ય ઉચિત ક્રિયા. વિનય એટલે ભાવથી પ્રતિબંધ ગુરુના ગુણો પ્રત્યે અંતઃકરણથી રાગનો પરિણામ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૦૦૭-૧૦૦૮માં બતાવી તે વિધિથી વ્યાખ્યાન શ્રવણ કરનારા શિષ્યો ઉપર ગુરુને પરિતોષ પેદા થાય છે, અને શિષ્યોની યોગ્યતા જોઈને ગુરુ શાસ્ત્રના ગંભીર પદાર્થો ઉત્સાહથી સમજાવે છે. વળી વ્યાખ્યાન સાંભળતી વખતે શિષ્યોનો ગુણવાન ગુરુ પ્રત્યે ભાવથી પ્રતિબંધ વર્તવો, એ વિનય છે, અને બે હાથ જોડીને માથું નમાવીને સાંભળવું તે ભક્તિનો પરિણામ છે. આ બંને ભાવપૂર્વક સૂત્રાર્થને ગ્રહણ કરતા સાધુઓ સૂત્રના રહસ્યને શીધ્ર પ્રાપ્ત કરે છે; કેમ કે ગાથા ૧૦૦૭-૧૦૦૮માં બતાવી તે વિધિપૂર્વક વ્યાખ્યાન સાંભળવામાં આવે તો સૂત્રના અર્થોની પ્રાપ્તિમાં અવરોધક એવા જ્ઞાનાવરણીય કર્મનો, અને સૂત્રને સમ્યગુ પરિણમન પમાડવામાં પ્રતિબંધક એવાં ચારિત્રમોહનીય કર્મોનો નાશ થાય છે, જેથી સૂત્રના તાત્પર્યની શિષ્યોને જલદી પ્રાપ્તિ થઈ શકે છે. I/૧૦૦૯ અવતરણિકા : ગાથા ૧૦૦૭-૧૦૦૮માં વ્યાખ્યાન સાંભળવાની વિધિ દર્શાવી. તે વિધિપૂર્વક વ્યાખ્યાન સાંભળવાથી પ્રાપ્ત થતું ફળ પૂર્વગાથામાં બતાવ્યું. હવે ગુરુનું વ્યાખ્યાન સાંભળ્યા પછી અનુભાષક જ્યેષ્ઠ સાધુ પાસે વ્યાખ્યાન સાંભળતાં પહેલાં કરવા યોગ્ય વિધિ બતાવે છે – ગાથા : वक्खाणसमत्तीए जोगं काऊण काइआईणं । वंदंति तओ जिलृ अण्णे पुव्व च्चिअ भणंति ॥१०१०॥ અન્વયાર્થ : વસ્થા સમી વ્યાખ્યાનની સમાપ્તિ થયે છતે ફvi નો ઝUT=કાયિકાદિના યોગને કરીને તો ત્યારપછી નિર્દ-જયેષ્ઠને વંતિ-વંદન કરે છે. અને અન્ય (આચાર્ય) પુદ્ગ શ્વિઝ પૂર્વે જ=ગુરુના વ્યાખ્યાનના પ્રારંભની પૂર્વે જ, મuiતિ કહે છેઃઅનુભાષક જયેષ્ઠ સાધુને વંદન કરવાનું કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005512
Book TitlePanchvastuk Prakaran Part 05
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy