SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ વ્રતસ્થાપનાવતુક યથા પાયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૨૫-૯૨૬ ત્રાWIણે કેમ કે તેણીને=મરુદેવીસ્વામિનીને, ક્યારેય પણ ત્રસત્વની અપ્રાપ્તિ છે અર્થાતું મરુદેવીમાતા ચરમભવને છોડીને ક્યારેય પણ ત્રસપણાને પામ્યાં નથી. નિશઃ પક્ષાતવાસંસૂવે, વિલન' શબ્દ પરોક્ષ એવા આપ્તવાદનો સંસૂચક છે અર્થાતુ મરુદેવામાતા ક્યારેય ત્રસત્વ પામ્યાં નથી, એ વાત છઘસ્થ વ્યક્તિ માટે પરોક્ષ છે; પરંતુ એ વાત આખ એવા સર્વજ્ઞનો વાદ બતાવે છે, એમ મૂળગાથામાં રહેલ 'ત્રિ' શબ્દ સૂચન કરનારો છે. રૂતિ થાઈ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે અંતકૃત્યેવલીત્વના ફળને આપનાર એવું ચરમશરીરત્વ અનેક ભવોમાં સેવેલ કુશલના યોગથી પ્રાપ્ત થાય છે, પરંતુ જે જીવે કોઈ ભવમાં ધર્મનો અભ્યાસ કર્યો નથી તેવા જીવને પ્રાપ્ત થતું નથી. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે તમે કહ્યું તેવું ચરમશરીરત્વ મરુદેવામાતાને નથી; કેમ કે આગમમાં સંભળાય છે કે મરુદેવામાતા કોઈપણ ભવમાં ત્રસપણું પામ્યા વગર અત્યાર સુધી ફક્ત સ્થાવરપણામાં રહીને ચરમભવમાં જ કસપણાને પામીને અત્યંત સ્થાવર સિદ્ધ થયાં હતાં. આથી મરુદેવામાતાએ દ્રવ્યચારિત્રધર્મનો અભ્યાસ કરેલ નથી, છતાં તેઓ અંતકૃત્યેવલીત્વના ફળને આપનાર એવું ચરમશરીરત્વ પામ્યાં. માટે ગાથા ૯૨૩માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દ્રવ્યચારિત્રપૂર્વક જ ભાવચારિત્ર પ્રાપ્ત થાય છે, એ કથન સંગત નથી. ૨પમાં અવતરણિકા : . अत्रोत्तरमाह - અવતરણિતાર્થ : અહીં પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ કરેલી શંકામાં, ઉત્તરને કહે છે – ભાવાર્થ: પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે અનેક જન્મોમાં કરેલ દ્રવ્યચારિત્રના અભ્યાસથી તેવું ચરમશરીરત્વ પ્રાપ્ત થાય છે, તેવો નિયમ નથી; કેમ કે મરુદેવામાતા અત્યંત સ્થાવર સિદ્ધ થયાં અને ચરમ ભવમાં પણ દ્રવ્યચારિત્ર વગર સિદ્ધ થયાં. આથી દ્રવ્યચારિત્રના અભ્યાસથી જ ભાવચારિત્રની પ્રાપ્તિ દ્વારા મોક્ષ થાય છે, તેવો નિયમ નથી. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકામાં ગ્રંથકાર ઉત્તરને કહે છે – ગાથા : सच्चमिणं अच्छेरगभूअं पुण भासिअं इमं सुत्ते । अन्ने वि एवमाई भणिया इह पुव्वसूरीहिं ॥९२६॥ અન્વયાર્થ: રૂui=આ પૂર્વપક્ષીનું કથન, સઘં સત્ય છે, કુત્તે પુI પરંતુ સૂત્રમાં રૂપં આ=મરુદેવીનું ચરિત્ર, છેTખૂi=આશ્ચર્યભૂત માસિકે કહેવાયું છે. અન્ને વિ=અન્ય પણ મારું એવમાદિ (આશ્ચર્યરૂપ ભાવો) રૂદ અહીં=પ્રવચનમાં, પુત્રસૂરીદિંપૂર્વસૂરિઓ વડે બળિયા કહેવાયા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy