SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘તપ’ | ગાથા ૮૪૪-૮૪૫ ૨૦૦ વળી, કહ્યું કે આ તપોનુષ્ઠાનથી મોક્ષફળ પ્રાપ્ત કરાવે તેવી સમ્યગ્ ગુણની વૃદ્ધિ અવશ્ય થાય છે. એ કથન દ્વારા એ જણાવવું છે કે જેમ તપોનુષ્ઠાન ઇન્દ્રિયોનું દમન કરવા દ્વારા વ્રતરક્ષણનો ઉપાય છે, તેમ મોક્ષને અનુકૂળ એવી નિર્લેપદશાનો પણ ઉપાય છે; કેમ કે તપ કરવાથી થતી સમ્યગ્ ગુણોની વૃદ્ધિ પ્રકર્ષને પામતાં મોક્ષ પણ પ્રાપ્ત કરાવે છે. આથી મોક્ષાર્થીએ વ્રતરક્ષણના પ્રધાન કારણરૂપ અને ગુણવૃદ્ધિના ઉપાયરૂપ તપોપધાનમાં ઉદ્યમ કરવો જોઈએ. ૫૮૪૪૫ અવતરણિકા : तपउपधानस्वरूपमाह અવતરણિકાર્ય : હવે તપઉપધાનના સ્વરૂપને કહે છે ગાથા : सुजोगवुड्डजणयं सुहज्झाणसमण्णिअं अणसणाई । जमणासंसं तं खलु तवोवहाणं मुणेअव्वं ॥८४५॥ અન્વયાર્થ : મુદ્દનો ડ્રિંગળયં-શુભયોગની વૃદ્ધિનું જનક, સુદ્ઘજ્ઞાળસમળિયં-શુભ ધ્યાનથી સમન્વિત, અળાÄä= અનાશંસ એવું નં-જે અળસĪરૂં-અનશનાદિ છે, તેં વસ્તુ-ખરેખર તે તવોવદ્દાળ-તપઉપધાન મુળેઞi= જાણવું. ગાથાર્થ : શુભયોગની વૃદ્ધિનું જનક, શુભધ્યાનથી યુક્ત, અભિસંધિ વગરનું જે અનશનાદિ છે, તે ખરેખર તપઉપધાન જાણવું. ટીકા : शुभयोगवृद्धिजनकं शुभानुबन्धित्वेन, शुभध्यानसमन्वितमासेवनाकाले ऽनशनादि प्रवचनोक्तं यत् अनाशंसं=निरभिसन्धि, तत् खलु अनशनादि तपउपधानं मन्तव्यं, न तु स्वाग्रहप्रकाममिति गाथार्थः ॥८४५ ॥ ટીકાર્ય : શુભઅનુબંધીપણાને કારણે શુભ યોગની વૃદ્ધિનું જનક, આસેવનકાળમાં શુભધ્યાનથી સમન્વિત, અનાશંસ=નિરભિસંધી, પ્રવચનમાં=શાસ્ત્રમાં, કહેવાયેલ જે અનશનાદિ છે, તે અનશનાદિ ખરેખર તપઉપધાન જાણવું; પરંતુ સ્વના આગ્રહથી પ્રકામ નહિ અર્થાત્ પોતાની ઇચ્છા મુજબ શક્તિ ઓળંગીને કરાયેલું તપ તપઉપધાન નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy