SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ વ્રતસ્થાપનાવસ્તુક/યથી પાયિતાનિ' દ્વાર/ પેટા દ્વાર: “સંસર્ગ' | ગાથા ૭૩૦ ટીકા : संसर्गात् संसक्तेर्वा पार्श्वस्थादिभिः सहेति गम्यते, दोषा इमे नियमादेवेह, या च यावती च भवत्यक्रिया तदुपरोधेन, तथा लोके गर्दा भवति ‘सर्व एवैते एवम्भूता' इति, तथा पापेऽनुमतिर्भवति पार्श्वस्थादिसम्बन्धिनी, तत्सङ्गमात्रनिमित्तत्वादनुमतेः, तथा आज्ञादयश्च दोषा भवन्तीति गाथार्थः ॥७३७॥ (દ્વાર) નોંધ : પાર્થસ્થાવિશ્વની પદમાં સ+વદ્ ધાતુને રૂનું પ્રત્યય લાગીને સ્વચિત્ શબ્દ બન્યો છે અને અનુમતિ નું વિશેષણ હોવાથી સ્ત્રીલિંગનો { (૩) પ્રત્યય લાગીને સર્વાન્વિની બનીને નહીવત્ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ થયેલ છે. માટે સચિની માં ની દીર્ઘ છે, પરંતુ હ્રસ્વ નથી. * “પાર્થસ્થffમ:''માં “મરિ' પદથી અવસન્ન, કુશીલ, સંસક્ત અને યથાછંદ એ પાંચ પ્રકારના કુસાધુઓનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય : સંસT એટલે સંસર્ગથી અથવા સંસક્તિથી, મૂળગાથામાં પાર્થમિ સદ એ પ્રકારનું પદ અધ્યાહાર છે. તેથી એ પ્રાપ્ત થાય કે પાર્થસ્થાદિ સાથે સંસક્તિથી, અહીં=સંયમજીવનમાં, આ=હવે કહે છે એ, દોષો નિયમથી જ થાય છે. તે દોષો જ બતાવે છે અને તેના ઉપરોધથી પાર્થસ્થાદિને અનુસરવાથી, સંયમજીવનની છે અને જેટલી અક્રિયા થાય, તેટલા દોષો થાય છે. અને “આ=સાધુઓ, સર્વ જ આવા પ્રકારના છે” એ પ્રમાણે લોકમાં ગહ થાય છે, અને પાપમાં પાર્થસ્થાદિના સંબંધવાળી અનુમતિ થાય છે; કેમ કે અનુમતિનું તેનો પ્રમાદીનો, સંગમાત્ર નિમિત્તપણું છે, અને તે પ્રકારે=પાર્થસ્થાદિના સંગના ત્યાગના કથનરૂપ જિનાજ્ઞાનું અપાલન કર્યું તે પ્રકારે, આજ્ઞાદિ=આજ્ઞાભંગાદિ ચાર, દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : (૧) પાર્થસ્થાદિના સંસર્ગથી પાર્થસ્થાદિના ઉપરોધને કારણે સંયમની કેટલીક ઉચિત પ્રવૃત્તિઓ થતી નથી અને કેટલીક ઉચિત પ્રવૃત્તિઓ અધૂરી થાય છે. જેમ કે પાર્થસ્થ સાધુ પ્રમાદી હોવાથી પડિલેહણ ન કરતા હોય તો, તેના ઉપરોધથી તેની સાથે રહેલ સુસાધુ પણ પડિલેહણ ન કરે; અથવા તો પાર્શ્વસ્થ સાધુ પડિલેહણ સમ્યગૂ યતનાપૂર્વક ન કરતા હોય તો તેમને જોઈને સુસાધુ પણ પડિલેહણ સમ્યગ યતનાપૂર્વક ન કરે. આવા અનેક દોષો સુસાધુને પાર્થસ્થ વગેરે કુસાધુઓના સંસર્ગથી નિયમથી જ પ્રાપ્ત થાય છે. (૨) વળી, પાર્થસ્થાદિની અનુચિત પ્રવૃત્તિઓ જોઈને લોકમાં સુસાધુની પણ ગહ થાય કે આ બધા સાધુઓ અનુચિત પ્રવૃત્તિ કરનારા છે. અહીં “લોક' શબ્દથી ધર્મની ઉચિત પ્રવૃત્તિઓ જાણનારા લોકનું ગ્રહણ કરવાનું છે, અને તેવો ધર્મ જાણનાર લોક બોલે કે “આ બધા સાધુઓ જિનાજ્ઞા વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરે છે,” ત્યારે પાર્થસ્થાદિ સાથે રહેલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy