SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતસ્થાપનાવસ્તુક, યથા પત્નિયિતાનિ' દ્વાર / પેટા દ્વાર : “સંસર્ગ' | ગાથા ૦૩૩ ૧૫ અવતરણિકા : તથા - અવતરણિફાર્થ : સંસર્ગથી દોષ થતો નથી, પરંતુ જીવ પોતાના ભાવોને સમ્યગું વહન કરે છે, એ રૂપ પોતાના કથનની પુષ્ટિ માટે અન્ય દષ્ટાંત આપવા “તથા'થી સમુચ્ચય કરીને પૂર્વપક્ષી કહે છે – ગાથા : सुचिरं पि अच्छमाणो नलथंभो उच्छुवाडमज्झम्मि । कीस न जायइ महुरो जइ संसग्गी पमाणं ते ॥७३३॥ અન્વયાર્થ : ન તે સંસી મા=જો તને સંસર્ગી પ્રમાણ છે=પાર્થસ્થાદિ સાથે સંસર્ગ કરનારા સાધુ પાર્થસ્થાદિ ભાવને પામે છે એવું જો તને માન્ય છે, (તો) કછુવીમાબૂ શેરડીના વાડાની મધ્યમાં સુવિ પિસુચિર પણ=ઘણો પણ કાળ, મછમાળો રહેતો નથંભોગનલસ્તંબ=વાંસનું વૃક્ષ, ક્રોસ મશુરો ન નાય? કયા કારણથી મધુર થતો નથી? ગાથાર્થ : જો તને સંસર્ગી પ્રમાણ છે, તો શેરડીના વાડાની મધ્યમાં ઘણો પણ કાળ રહેતો નલતંબ કેમ મધુર થતો નથી? ટીકા : सुचिरमपि-प्रभूतमपि कालं तिष्ठन् नलस्तम्बो-वृक्षविशेषः इक्षुवाटमध्ये इक्षुसंसर्गात् किमिति न जायते मधुरः? यदि संसर्गी प्रमाणं तवेति गाथार्थः ।।७३३॥ ટીકાર્ય : જો તને સંસર્ગી પ્રમાણ છે પાર્થસ્થાદિનો સંસર્ગ કરનારા સાધુ પાર્થસ્થાદિ ભાવને પ્રાપ્ત કરે એમ માન્ય છે, તો ઘણો પણ કાળ ઈસુના વાટની મધ્યમાં રહેતો એવો તલસ્તંબ વૃક્ષવિશેષ, ઈશુના સંસર્ગથી કયા કારણથી મધુર થતો નથી? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વપક્ષી સંસર્ગને અપ્રમાણભૂત બતાવવા તર્ક કરે છે કે જે વ્યક્તિ જેની સાથે સંસર્ગ કરે તે વ્યક્તિ તેના ભાવને પ્રાપ્ત કરે છે એમ જો તને માન્ય હોય, તો શેરડીના વાડામાં ઘણો પણ કાળ રહેલું વાંસનું વૃક્ષ મધુર કેમ થતું નથી ? તેથી એ ફલિત થાય કે જેમ શેરડીના સંસર્ગથી વાંસનું વૃક્ષ મધુર થતું નથી, તેમ પાર્થસ્થાદિના સંસર્ગથી સુસાધુ કુસાધુ બનતા નથી, આ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન બાહ્ય નિમિત્તને ગૌણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy