________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ સંકલના ક્રિયાઓ બતાવી, તે સર્વ પ્રતિદિવસ કરવાની ક્રિયાઓ દરમિયાન વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ત્યારે સાધુ સ્વાધ્યાય કરે છે.
વળી તે સ્વાધ્યાયની ક્રિયા માત્ર સૂત્ર ગોખવારૂપ નથી કે માત્ર સૂત્રાર્થનો બોધ કરવારૂપ પણ નથી, પરંતુ સ્વાધ્યાયની ક્રિયાથી તે સાધુને આત્મહિતનું પરિજ્ઞાન થાય છે, ભાવસંવરની વૃદ્ધિ થાય છે, નવો નવો સંવેગ ઉત્પન્ન થાય છે, સંયમમાર્ગમાં નિષ્ણકંપતા આવે છે, તેવો સ્વાધ્યાય અત્યંતર તપરૂપ બને છે, જેના કારણે નિર્લેપતાની વૃદ્ધિ થવાથી કર્મોની નિર્જરા થાય છે, અને સ્વાધ્યાયના બળથી થયેલા સન્માર્ગના સૂક્ષ્મ બોધ દ્વારા તે સાધુ અન્ય યોગ્ય જીવોને ઉપદેશ આપીને સન્માર્ગમાં અવતાર કરી શકે છે. આ જણાવવા માટે ગ્રંથકારશ્રીએ ગાથા પપપથી પ૬૬માં સ્વાધ્યાયથી થતા સાત ગુણોનું વર્ણન કરેલ છે.
ત્યારપછી સૂત્રદાનના વિષયમાં શાસ્ત્રીય મર્યાદાનો માર્ગાનુસારી બોધ કરાવવા અર્થે ગ્રંથકારે ગાથા પ૭૦માં સૂત્રદાનવિષયક વિધિનાં મુખ્ય ચાર દ્વારા બતાવીને ગાથા ૬૦૮ સુધી તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. તેથી કેવા શિષ્યોને સૂત્રદાન કરવું જોઈએ ?, યોગ્ય પણ શિષ્યોને સંયમપર્યાયનાં કેટલાં કેટલાં વર્ષો વ્યતીત થયા પછી કયાં કયાં સૂત્ર ભણાવવાં જોઈએ?, કયા કયા સૂત્રને આશ્રયીને, કયું કર્યું તપ કરાવવા આદિ વિધિપૂર્વક શિષ્યોને સૂત્ર આપવાં જોઈએ? અને શિષ્યોએ પણ કેવા ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરવાં જોઈએ? તે સર્વનું યથાર્થ જ્ઞાન થાય છે.
આનાથી એ ફલિત થાય કે માત્ર ભણવા માટે તત્પર જીવને શાસ્ત્રો ભણાવાય તેવો નિયમ નથી, પરંતુ શાસ્ત્રો ભણાવતાં પૂર્વે શ્રોતાની ભણવા માટેની યોગ્યતા આદિની વિચારણા કરવી આવશ્યક છે; અને આ પ્રકારની સૂત્રદાનની મર્યાદા પાછળ શું પ્રયોજન છે? તેનો પ્રસ્તુત “સૂત્રદાનવિચાર' દ્વારથી વિશદ બોધ થાય છે.
છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત ગ્રંથના લખાણમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતાં કે અજાણતાં કંઈ પણ લખાણ થયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ માંગું છું.
– પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૬૫, કા. સુદ-૫, જ્ઞાનપંચમી તા. ૩-૧૧-૨૦૦૮, સોમવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org