________________
પ્રતિદિનક્રિયાવસ્તક/પ્રસ્તાવના
(૩) સ્વાધ્યાયરસિક પ. પૂ. સા. શ્રી ધ્યાનરુચિતાશ્રીજી મ. સા. જેઓ સંસારી પક્ષે મારી સાથે માતૃત્વનો સંબંધ ધરાવનાર છે, તેઓએ સંસારના અનેક ઝંઝાવાતો વચ્ચે પણ પોતાનાં બન્ને સંતાનોને માત્ર ભૌતિક દષ્ટિએ જ નહીં પરંતુ ધાર્મિક દૃષ્ટિએ પણ જ્ઞાનાદિથી સંપન્ન કર્યા અને ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યું, એટલું જ નહીં પરંતુ પ્રવ્રયા અપાવવા સુધીનો અથાગ પુરુષાર્થ કર્યો, અને ઉત્તમ ગુરુની શોધ કરીને પોતાના ભવિષ્યની પણ ચિંતા કર્યા વગર પોતાની બે આંખ સમાન બંને સંતાનોને ગુરુવરના ચરણે સમર્પિત કરીને પોતાના “માતૃત્વપદને ધન્ય બનાવ્યું, અને અંતે સ્વયં પણ પ્રવજયા અંગીકાર કરીને સદા માટે ગુરુચરણ અંતેવાસી બન્યાં. જગતમાં આવી માતાઓ વિરલ જ હોય છે. આથી તેઓના પણ ઉપકારનો મહારાશિ મારા શિર પર સદા રહેશે.
(૪) અસંગભાવપ્રિય પંડિતવર્ય સુશ્રાવકશ્રી પ્રવીણભાઈ મોતા, જેઓએ મારા અજ્ઞાનભર્યા, અવિવેકભર્યા વર્તનની પણ ઉપેક્ષા કરીને, પોતાનાં સમય-શક્તિનો ભોગ આપીને મને અધ્યાપન દ્વારા સંપન્ન કરી. તેઓના તે ઉપકારને સ્મૃતિપથમાં લાવીને તેઓશ્રીનો હું અત્યંત આભાર માનું છું.
* પ્રસ્તુત ભાગ-૨માં ગાથા ૩૯૯થી ૪૦૫માં જીંડલના ૧૦૨૪ ભાંગા રચવાની પદ્ધતિ બતાવેલ છે, તે પદ્ધતિ પ્રમાણે પરિશિષ્ટ-૧માં જે ૧૦૨૪ ભાંગા રચીને બતાવેલ છે, તે ભાંગા બનાવવાનું કાર્ય મારા પૂજ્ય ગુરુમહારાજે પોતાના ઘણા સમય-શક્તિનો ભોગ આપીને કરેલ છે.
–
રામ મવતું
વિ. સં. ૨૦૬૫, કા. સુદ-૫, જ્ઞાનપંચમી તા. ૩-૧૧-૨૦૦૮, સોમવાર ગીતાર્થગંગા, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફિત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
પરમ પૂજ્ય પરમતારક, પરમારાથ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં સામ્રાજ્યવર્તી, સ્વ. ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની પ. પૂ. સા. ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં શિષ્યરત્ના પ. પૂ. સા. ચારુનંદિતાશ્રીજી મ. સા.ના શિષ્યા સાધ્વીજી કલ્પનંદિતાશ્રીજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org